ETV Bharat / bharat

IIM Students letter to PM Modi: હેટ સ્પીચ અંગે IIMના 183 વિદ્યાર્થીઓએ PM Modiને લખ્યો પત્ર

author img

By

Published : Jan 8, 2022, 12:20 PM IST

અમદાવાદ અને બેંગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના 183 વિદ્યાર્થી અને શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર (IIM Students letter to PM Modi) લખ્યો છે, જેમાં તેમણે અલ્પસંખ્યકો વિરુદ્ધ નિવેદનબાજી અને હુમલા અંગે વડાપ્રધાનના મૌન અંગે પ્રશ્નો (IIM students Letter to PM on Hate Speech) ઉઠાવ્યા (IIM students raise questions on PM's silence) છે.

IIM Students letter to PM Modi: હેટ સ્પીચ અંગે IIMના 183 વિદ્યાર્થીઓએ PM Modiને લખ્યો પત્ર
IIM Students letter to PM Modi: હેટ સ્પીચ અંગે IIMના 183 વિદ્યાર્થીઓએ PM Modiને લખ્યો પત્ર

ન્યૂઝ ડેસ્કઃ અમદાવાદ અને બેંગલોર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના 183 વિદ્યાર્થી અને શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર (IIM Students letter to PM Modi) લખ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ અલ્પસંખ્યકો સામે નિવેદનબાજી અને હુમલા અંતે વડાપ્રધાનના મૌન અંગે પ્રશ્નો (IIM students raise questions on PM's silence) ઉઠાવ્યા છે. આમાં દેશભરમાં હેટ સ્પીચ અને ધર્મ તેમ જ જાતિ આધારિત હિંસાઓની ઘટનાઓ અંગે ચિંતા (IIM students Letter to PM on Hate Speech) વ્યક્ત કરવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવેલા આ પત્રમાં 183 વિદ્યાર્થીઓના હસ્તાક્ષર છે. આ તમામ હસ્તાક્ષરોમાંથી 178 IIM બેંગલોરથી છે અને 5 અમદાવાદ IIMના છે.

આ પણ વાંચો- કોરોના કાળમાં સરકારી અનાજમાં થયેલા કૌભાંડ અંગે ભાજપ કેમ ચૂપ છે, કોંગ્રેસનો સરકારને સવાલ

વડાપ્રધાનનું મૌન નિરાશાજનકઃ વિદ્યાર્થીઓ

એક સમાચારપત્રના રિપોર્ટ અનુસાર, પત્રમાં લખ્યું છે કે, આપમા દેશમાં વધતી અસહિષ્ણુતા પર માનનીય વડાપ્રધાનનું મૌન અમારા બધા માટે નિરાશાજનક (IIM students raise questions on PM's silence) છે, જે આપણા દેશના બહુસાંસ્કૃતિકતાને મહત્ત્વ આપે છે. તમારું મૌન નફરતના અવાજોને બળ આપી રહ્યું છે અને આપણા દેશની એકતા અને અખંડિતતા માટે ખતરો છે.

આ પણ વાંચો- PM Modi Security Breach: નવજોત સિંહ સિદ્ધુએ કર્યો વળતો પ્રહાર, IB અને કેન્દ્રીય એજન્સી પર ઊઠાવ્યો પ્રશ્ન

વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને કર્યો અનુરોધ

આ પત્રમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન અમે તમને અનુરોધ કરીએ છીએ કે, તમે વિભાજિત કરવાનો (IIM students raise questions on PM's silence) પ્રયાસ કરતી શક્તિઓ સામે મજબૂતીથી ઊભા રહો. અમે તમારા નેતૃત્વથી ઈચ્છીએ છીએ કે, તેઓ અમારા દિમાગ અને દિલોથી દૂર રહે, જે એક રાષ્ટ્ર તરીકે (IIM Students letter to PM Modi) આપણા લોકો સામે નફરત ફેલાવી રહ્યા છે. અમે માનીએ છીએ કે, એક સમાજ રચનાત્મકતા, નવાચાર અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અથવા પોતાની અંદર વિભાજન પણ ઉત્પન્ન કરી શેક છે. અમે એક એવા ભારતનું નિર્માણ કરવા માગીએ છીએ, જે વિશ્વમાં સમાવેશિતા અને વિવિધતાના ઉદાહરણ તરીકે ઊભું રહે.

પત્રમાં સાંસદ તેજસ્વી સૂર્યના ભાષણનો ઉલ્લેખ

તો આ પત્રમાં દક્ષિણી બેંગલોરના સાંસદ તેજસ્વી સૂર્યના વિવાદાસ્પદ ભાષણનો પણ ઉલ્લેખ કરવામાં (The letter mentions the controversial speech of MP Tejasvi Surya) આવ્યો છે. તેમણે હાલમાં જ વિધર્મીઓનું ધર્મ પરિવર્તન કરાવવા માટે હિન્દુઓને ભડકાનારું ભાષણ આપ્યું હતું. આ ઉપરાંત દેશભરમાં અલ્પસંખ્યકો પર થતા હુમલા અને હરિદ્વારમાં ધર્મ સંસદમાં થયેલા નફરતી ભાષણબાજી પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

સંવિધાન પોતાના ધર્મનું સન્માનની સાથે પાલન કરવાનો અધિકાર આપે છેઃ વિદ્યાર્થીઓ

આમાં કહેવામાં આવ્યું હતું કે, આપણું સંવિધાન આપણને કોઈ ડર અને શરમ વિના પોતાના ધર્મનું સન્માનની સાથે પાલન કરવાનો અધિકાર આપે છે. આપણા દેશમાં હવે ડરની ભાવના છે. અત્યારના દિવસોમાં ચર્ચો સહિત પૂજા સ્થળો પર તોડફોડ થઈ રહી છે અને આપણા વિધર્મી ભાઈઓ અને બહેનો સામે હથિયાર ઉપાડવાની હાકલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.