ETV Bharat / bharat

જ્ઞાનવાપી કેસ સંબંધિત પાંચ કેસોની આજે સુનાવણી

author img

By

Published : Dec 2, 2022, 12:51 PM IST

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે પાંચ અલગ-અલગ કેસોની સુનાવણી થવાની છે. (Hearing of five cases related to Gyanvapi)આ સુનાવણી વારાણસી જિલ્લા કોર્ટમાં થશે.

જ્ઞાનવાપી કેસ સંબંધિત પાંચ કેસોની આજે સુનાવણી
જ્ઞાનવાપી કેસ સંબંધિત પાંચ કેસોની આજે સુનાવણી

વારાણસી(ઉતર પ્રદેશ): જ્ઞાનવાપીૉ સંબંધિત પાંચ અલગ-અલગ કેસની સુનાવણી શુક્રવારે અલગ-અલગ કોર્ટમાં થશે. (Hearing of five cases related to Gyanvapi)જુદા-જુદા લોકો વતી કરાયેલી અરજીઓ અને દાવાઓમાં જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગના દર્શન-પૂજનની માંગણી કરવામાં આવી છે.

સુનાવણી હાથ ધરવામાં આવશે: સિવિલ જજ સિનિયર ડિવિઝન કુમુદલતા ત્રિપાઠીની કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વતી સુનાવણી હાથ ધરવામાં આવશે. બીજી તરફ સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક મહેન્દ્ર કુમાર પાંડેની કોર્ટમાં વિશ્વ વૈદિક સનાતન સંઘના આંતરરાષ્ટ્રીય મહાસચિવ કિરણ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા દાવા પર ભગવાન આદિ વિશ્વેશ્વર વતી સુનાવણી હાથ ધરવામાં આવશે.

શિવલિંગની પૂજા: ભગવાન અવિમુક્તેશ્વર વતી આ કોર્ટમાં દિલ્હીના રહેવાસી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને ખજુરીના રહેવાસી અજીત સિંહની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. પર્યાવરણવાદી પ્રભુનારાયણ વતી દાખલ કરાયેલી અરજી પર પણ વારાણસી જિલ્લા કોર્ટમાં સુનાવણી થશે. જેમાં પણ જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગની પૂજા કરવાની માંગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.