ETV Bharat / bharat

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો, અનેક લોકો ઈજાગ્રસ્ત

author img

By

Published : Aug 21, 2022, 11:00 PM IST

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો
શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો

શ્રીનગરના નિશાત વિસ્તારમાં અચાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિશાતમાં પાર્કિંગની જગ્યામાં એક રહસ્યમય ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. grenade attack in kashmir, terrorist attack In shreenagar

શ્રીનગર: રવિવારે મોડી સાંજે કાશ્મીર ઘાટીમાં શ્રીનગરના નિશાત વિસ્તારમાં મુગલ ગાર્ડનની બહાર ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધીમાં વિસ્ફોટમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ મામલે, સત્તાવાર અધિકારીએ કહ્યું કે, નિશાતમાં પાર્કિંગની જગ્યામાં એક રહસ્યમય ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઓટો ચાલક સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી છે. grenade attack in kashmir

આ પણ વાંચો : અલકાયદા સાથે જોડાયેલા 2 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, મળી ગુનાહિત સામગ્રી

અગાઉ પણ અનેક ઘટનાઓ : આ પહેલા 15 ઓગસ્ટના રોજ બડગામ અને શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમની બહાર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. કંટ્રોલ ક્લાસરૂમની બહાર થયેલા હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો હતો. તે જ સમયે, આ ઘટનાના થોડા કલાકો પહેલા, આતંકવાદીઓએ બડગામના ગોપાલપોરા ચદૂરા વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં એક નાગરિક કરણકુમાર સિંહ ઇજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો :ફાયરિંગમાં પાકિસ્તાની કેદીનું મોત, કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત

બિન-કાશ્મીરી મજૂરનું મોત : આ પહેલા 9 ઓગસ્ટે આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો. હુમલામાં CRPF જવાન સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તે પહેલા 8 ઓગસ્ટના રોજ, આતંકવાદીઓએ કાશ્મીર વિભાગના અનંતનાગ જિલ્લાના બિજબિહાર વિસ્તારમાં પોલીસ અને CRPFની સંયુક્ત પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો. એક દિવસ પહેલા રાત્રે બાંદીપોરામાં એક બિન-કાશ્મીરી મજૂરને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો. terrorist attack in shreenagar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.