ETV Bharat / bharat

Nityananda Country Kailasa in UN Meeting: નિત્યાનંદના દેશ કૈલાસે યુએન મીટિંગમાં ભાગ લીધો !

author img

By

Published : Feb 28, 2023, 5:42 PM IST

જિનીવામાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં નિત્યાનંદના દેશ કૈલાસે ભાગ લીધો હતો. ભારતમાંથી ભાગેડુ જાહેર કરેલા નિત્યાનંદે પોતાના દેશ કૈલાસની સ્થાપના કરી છે. સાથે દાવો પણ કર્યો છે કે કૈલાસનો પોતાનો પાસપોર્ટ છે. ભારતમાં નિત્યાનંદ સામે દુષ્કર્મ અને બાળકોના અપહરણ સહિતના ઘણા મોટા આરોપો છે.

Nityananda Country
Nityananda Country

નવી દિલ્હી: પોતાને ભગવાનનો દરજ્જો આપનાર નિત્યાનંદના દેશ 'કૈલાસા'એ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેવાનો દાવો કર્યો હતો. નિત્યાનંદ કે જેમને ભારતમાં કરવામાં આવેલા ઘણા ગુનાઓ માટે ભાગેડુ જાહેર કર્યા છે. તેમની સામે દુષ્કર્મ, શોષણ અને બાળકોનું અપહરણ સહિતના ઘણા મોટા આક્ષેપોનો સામનો કરી રહ્યા છે.

  • USK at UN Geneva: Inputs on the Achievement of Sustainability

    Participation of the United States of KAILASA in a discussion on the General Comment on Economic, Social and Cultural Rights and Sustainable Development at the United Nations in Geneva

    The Economic, Social, and… pic.twitter.com/pNoAkWOas8

    — KAILASA's SPH Nithyananda (@SriNithyananda) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં દાવો: જિનીવામાં યોજાયેલી આ બેઠકમાં કૈલાસના પ્રતિનિધિએ કહ્યું હતું કે ભારત દ્વારા નિત્યાનંદની સતામણી કરવામાં આવી છે. આ મીટિંગમાં મહિલા કે જેમણે પોતાને વિજયપ્રિયા નિત્યાનંદ તરીકે ઓળખાવી હતી. તેણે કૈલાસાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે સીઇએસસીઆર આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારની સમિતિની બેઠકમાં પોતાને રાજદૂત તરીકે વર્ણવ્યા. તેનો વીડિયો સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 'કૈલાસા હિન્દુઓ માટે પ્રથમ સાર્વભૌમ દેશ છે, જેની સ્થાપના હિન્દુ ધર્મના સર્વોચ્ચ પાદરી નિત્યાનંદ પરશિવમ દ્વારા કરવામાં આવી છે. જે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની 10,000 સ્વદેશી પરંપરાઓને જીવંત કરી રહી છે.

આ પણ વાંચો: BIHAR BUDGET : 10 વર્ષમાં બજેટનું કદ ત્રણ ગણું વધ્યું, 10 લાખ યુવાનોને રોજગાર આપવાનું લક્ષ્ય

એક્વાડોરના દરિયાકાંઠે સ્થિત દેશ: મહિલા બાદ કૈલાસના પુરુષ પ્રતિનિધિએ તેનું નામ એન કુમાર તરીકે બોલાવ્યું. આ વ્યક્તિ કે જે પોતાને નાના ખેડૂત કહે છે. તેણે ખેડુતો સામે બહારના પક્ષો દ્વારા સંસાધનોના નિયંત્રણ વિશે પ્રશ્નો પૂછ્યા. તેમણે કહ્યું કે ઘણી વખત સ્થાનિક કાયદા સ્વદેશી કૃષિ પદ્ધતિઓ પર ખૂબ પ્રતિબંધિત હોઈ શકે છે. તે જ સમયે એવો દાવો કરવામાં આવે છે કે કૈલાસા એક્વાડોરના દરિયાકાંઠે સ્થિત દેશ છે. જેમાં પોતાનો ધ્વજ, પાસપોર્ટ અને રિઝર્વ બેંક પણ છે. ડિસેમ્બર 2020માં નિત્યાનંદે અહીં માટે ફ્લાઇટની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Presidential Candidate Nikki Haley : પાકિસ્તાન અને ચીનને વિદેશી સહાય આપવા અંગે નિક્કી હેલીનું મોટું નિવેદન

કૈલાસાની વેબસાઇટ પર તેને પૃથ્વીના 'સૌથી મોટા હિન્દુ રાષ્ટ્ર' તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક દેશ કે જેની સીમાઓ નથી. આ દેશ કાઢી મુકાયેલા હિન્દુઓ દ્વારા બનાવવામાં આવેલ છે. જેમણે તેમના પોતાના દેશોમાં હિન્દુ ધર્મનું પાલન કરવાનો અધિકાર ગુમાવ્યો હતો. નિત્યાનંદ ભારતમાં કરવામાં આવેલા ઘણા ગુનાઓના મુખ્ય આરોપી છે. 2019માં તે ભારતથી ભાગી ગયા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં બેંગલુરુ નજીક રામનગરની સ્થાનિક અદાલતે 2010ના દુષ્કર્મના કેસમાં નિત્યાનંદ સામે વોરંટ જારી કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.