ETV Bharat / bharat

Road Accident in Karnal: હરિયાણામાં નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, પંજાબના 4 લોકોના મોત

author img

By

Published : Apr 8, 2023, 6:19 PM IST

કરનાલમાં નેશનલ હાઈવે પર કારનું પંચર થયેલું ટાયર બદલવાનો પ્રયાસ કરી રહેલા લોકો પાછળથી આવી રહેલા ટ્રકે કચડી નાખ્યા હતા. આ દર્દનાક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય 4ની હાલત નાજુક છે. (Road Accident in Karnal)

four-punjab-people-death-in-road-accident-in-karnal-haryana-on-delhi-national-highway
four-punjab-people-death-in-road-accident-in-karnal-haryana-on-delhi-national-highway

કરનાલ: કરનાલમાં શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. મોડી રાત્રે નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં પંજાબના 4 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે ઘાયલોને કરનાલની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અકસ્માતના થોડા સમય પહેલા જ પોલીસે તમામને હાઈવે પરથી કાર હટાવીને ઊભી રાખવા કહ્યું હતું, પરંતુ તેઓએ પોલીસની સલાહને અવગણી હતી.

ઘટનાસ્થળે 3 લોકોના મોત: કરનાલ પોલીસ સ્ટેશનના પ્રભારી સંદીપ સિંહે જણાવ્યું કે ગઈકાલે રાત્રે પોલીસને માહિતી મળી હતી કે કરનાલ નેશનલ હાઈવે પર તરવાડી પાસે એક રોડ અકસ્માત થયો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે ગઈ ત્યારે તેમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે 5 ઘાયલોને કરનાલની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વધુ બેની હાલત ગંભીર જોતા પીજીઆઈ રોહતક રીફર કરવામાં આવી હતી. જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ ચાર લોકો સારવાર હેઠળ છે.

આ પણ વાંચો Flight Emergency Exit: 40 વર્ષીય પેસેન્જર નશામાં ઈમરજન્સી ડોર ખોલવા જતો જ હતો કે...

4 લોકોના મોત: સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે પંજાબના 8 લોકો બે વાહનોમાં દિલ્હી જઈ રહ્યા હતા. પોલીસ રાત્રે નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન આ બંને વાહનો જોવા મળ્યા હતા. આ બંને વાહનોમાં 8 લોકો સવાર હતા. જેમાં એક વાહનનું ટાયર પંચર થઈ ગયું હતું. આ લોકો પંચર થયેલ ટાયર બદલવા માટે રોકાયા હતા, તે દરમિયાન પોલીસે તેમને એલર્ટ કર્યા અને કારને નેશનલ હાઈવે પરથી હટાવીને લિંક રોડ પર પાર્ક કરવા કહ્યું જેથી કોઈ અકસ્માત ન થાય. પોલીસની સલાહને અવગણીને થોડી જ વારમાં આ અકસ્માત થયો હતો. એક હાઇ સ્પીડ કેન્ટરે બધાને કચડી નાખ્યા, જેમાંથી 4 લોકોના મોત થયા.

આ પણ વાંચો Karnataka News : કર્ણાટકમાં BMW કારમાંથી એક કરોડથી વધુની કિંમતની ચાંદીની વસ્તુઓ જપ્ત કરવામાં આવી

કેવી રીતે થયો અકસ્માત?: પ્રાથમિક માહિતી મુજબ ચાર વ્યક્તિઓમાંથી એક સીએ હતો, જે પંજાબના અમૃતસરથી દિલ્હી તેના એક સેમિનારમાં ભાગ લેવા જઈ રહ્યો હતો અને બાકીના તેના સાથી હતા. પોલીસે જણાવ્યું કે 8 લોકોમાંથી ત્રણ લોકો કારમાંથી બહાર નીકળ્યા અને કારનું ટાયર બદલી રહ્યા હતા જ્યારે બાકીના લોકો કારની અંદર બેઠા હતા. તે જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે કારમાં બેઠેલા અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ પોલીસે બંને વાહનોને કબજે લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અકસ્માત બાદ કેન્ટર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કેન્ટરને કબજે લીધા બાદ ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૃતકના પરિવારજનોને પણ ફોન કરીને અકસ્માતની જાણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.