ETV Bharat / bharat

Farooq Abdullah on Ram : ફારુક અબ્દુલ્લાએ કહ્યું રામ માત્ર હિન્દુઓના જ નહીં બધાના છે ભગવાન

author img

By

Published : Mar 24, 2023, 8:38 AM IST

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ બધાના ભગવાન છે, હિન્દુઓના નહીં.

Farooq Abdullah on Ram : ફારુક અબ્દુલ્લાએ કહ્યું રામ માત્ર હિન્દુઓના જ નહીં બધાના છે ભગવાન
Farooq Abdullah on Ram : ફારુક અબ્દુલ્લાએ કહ્યું રામ માત્ર હિન્દુઓના જ નહીં બધાના છે ભગવાન

ઉધમપુર/જમ્મુ : જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા કહ્યું કે, પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ એકલા હિન્દુઓના ભગવાન નથી.

ભગવાન રામ બધાના ભગવાન છે : ઉધમપુરમાં પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં અબ્દુલ્લાએ કહ્યું કે, 'રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. કૃપા કરીને તમારા મનમાંથી આ ખ્યાલ દૂર કરો. ભગવાન રામ તે બધાના ભગવાન છે જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે, પછી ભલે તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, અમેરિકન હોય કે રશિય.

ફારૂક અબ્દુલ્લાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ બધાના ભગવાન છે, હિન્દુઓના નહીં.

અમે જ રામના ભક્ત છીએ : એનસી ચીફે કહ્યું કે, 'જે લોકો તમારી પાસે આવીને કહે છે કે, અમે જ રામના ભક્ત છીએ, તેઓ મૂર્ખ છે. તેઓ રામના નામનો લાભ લેવા માંગે છે. તે રામને નહીં સત્તાને ચાહે છે. તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે ત્યારે તેઓ સામાન્ય માણસનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.'

આ પણ વાંચો : congress protest : રાહુલ ગાંધીની સજાના વિરોધમાં કોંગ્રેસ આજે વિજય ચોક સુધી કરશે પદયાત્રા

એકતાના મુદ્દે અબ્દુલ્લાએ કહ્યું : બિન-ભાજપ પક્ષો વચ્ચે એકતાના મુદ્દે અબ્દુલ્લાએ કહ્યું કે, 'અમારી એકતામાં કોઈ અડચણ નહીં આવે. કોંગ્રેસ હોય, એનસી હોય કે પેન્થર્સ પાર્ટી હોય. અમે લોકો માટે લડીશું અને મરીશું પણ અમે બધા એક થઈશું.

આ પણ વાંચો : Rahul Gandhi Case: રાહુલ ગાંધીને દોષી જાહેર કરતા કોર્ટે કહ્યું, સંભાળીને બોલવું જોઈતું હતું આ ગંભીર ગુનો

અબ્દુલ્લાએ EVM પર પ્રશ્નો ઉઠાવ્યા : અબ્દુલ્લાએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પ્રશ્નો ઉઠાવ્યા અને લોકોને તેના ઉપયોગ અંગે સાવચેત રહેવા કહ્યું. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પહેલા ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસો સામે લોકોને ચેતવણી પણ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.