ETV Bharat / bharat

80 Indian Fishermen Released: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 80 માછીમારો ગુજરાત પહોંચ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2023, 9:11 PM IST

ગુજરાતના 80 માછીમારો માટે આ દિવાળી ખાસ રહી. પાકિસ્તાનની કરાચી જેલમાંથી મુક્ત થયેલા 80 માછીમારો રવિવારે ટ્રેન દ્વારા ગુજરાતના વડોદરા પહોંચ્યા હતા. Eighty fishermen released from Pakistan jail, fishermen released.

EIGHTY FISHERMEN RELEASED FROM PAKISTAN JAIL ARRIVE IN GUJARAT REUNITED WITH KIN FOR DIWALI
EIGHTY FISHERMEN RELEASED FROM PAKISTAN JAIL ARRIVE IN GUJARAT REUNITED WITH KIN FOR DIWALI

અમદાવાદ: પાકિસ્તાનની કરાચી જેલમાંથી છૂટેલા 80 માછીમારો રવિવારે ટ્રેન દ્વારા ગુજરાતના વડોદરા પહોંચ્યા હતા. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીના જણાવ્યા અનુસાર, વડોદરાના આ માછીમારોને દિવાળી પર તેમના પરિવારજનોને મળવા માટે રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બસ દ્વારા લઈ જવામાં આવ્યા (Eighty fishermen released from Pakistan jail, fishermen released) હતા.

ગુરુવારે મુક્ત કરવામાં આવ્યા: એક સત્તાવાર થયેલી જાહેરાત અનુસાર માછીમારોને પાકિસ્તાન દ્વારા ગુરુવારે મુક્ત કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેમને પંજાબની અટારી-વાઘા બોર્ડર પર ગુજરાતના ફિશરીઝ વિભાગની ટીમને સોંપવામાં આવ્યા હતા. આ માછીમારો 2020માં માછીમારી કરવા માટે ગુજરાતના દરિયાકાંઠેથી નીકળીને પાકિસ્તાનના પ્રાદેશિક જળસીમામાં પ્રવેશ્યા હતા, ત્યારબાદ તેઓને પાકિસ્તાન મરીન ફોર્સે પકડી પાડ્યા (Eighty fishermen released from Pakistan jail, fishermen released) હતા.

80 માછીમારોમાંથી 59 ગીર સોમનાથ જિલ્લાના: સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે કે મુક્ત કરાયેલા 80 માછીમારોમાંથી 59 ગીર સોમનાથ જિલ્લાના, 15 દેવભૂમિ દ્વારકાના, બે જામનગરના અને એક અમરેલીના છે, જ્યારે ત્રણ માછીમારો કેન્દ્રશાસિત પ્રદેશ દીવના છે. દિવાળીના તહેવાર પર માછીમારો ઘરે પરત ફરતા તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

તમામ માછીમારો 2020માં પકડાયા હતા: રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'આ તમામ માછીમારો 2020માં પકડાયા હતા. લગભગ 200 માછીમારો હજુ પણ પાકિસ્તાનની વિવિધ જેલોમાં કેદ છે. મુક્ત કરાયેલા માછીમારો તેમના પરિવાર સાથે દિવાળી ઉજવી શકશે. આ વર્ષે મે અને જૂનમાં પાકિસ્તાન સરકારે લગભગ 400 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા.

  1. Diwali 2023: દિવાળીના તહેવારમાં સામાજિક સોહાર્દનું દ્રષ્ટાંત, મુસ્લિમ યુવાન અને તેના મિત્રોએ વૃદ્ધાશ્રમના વડીલોને કરાવ્યા દેવ દર્શન
  2. Rajkot: પોરબંદરની જેલમાં સજા કાપતા પાકિસ્તાની કેદીની સારવાર કરી રાજકોટ સિવિલ હોસ્પિટલે બચાવ્યો જીવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.