ETV Bharat / bharat

Doranda Treasury Case : કોર્ટે લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં વધુ એક વાર જેલ, જાણો શું હતો સમગ્ર મામલો

author img

By

Published : Feb 21, 2022, 8:42 AM IST

Updated : Feb 21, 2022, 2:09 PM IST

CBI કોર્ટ લાલુ પ્રસાદ યાદવ (RJD supremo Lalu Yadav) સહિત 38 દોષિતોને વીડિયો કોન્ફરન્સિંગ (Doranda treasury embezzlement case) દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. જેમાં આરજેડી નેતાને લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની જેલની સજા સાથે 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Doranda Treasury Case
Doranda Treasury Case

રાંચી, ઝારખંડ: ઘાસચારા કૌભાંડ હેઠળ ડોરાન્ડા ટ્રેઝરીમાંથી (Doranda treasury embezzlement case) રૂપિયા 139.35 કરોડની ઉઠાંતરીના કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ (RJD supremo Lalu Yadav) સહિત 38 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ વિશેષ CBI અદાલતે ચુકાદો આપ્યો હતો. 15 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની વિશેષ અદાલતના ન્યાયાધીશ એસકે શશીએ આ તમામને દોષિત ઠેરવ્યા અને આજે 21 ફેબ્રુઆરીએ રાંચી કોર્ટે વીડિયો કોન્ફરન્સ દ્વારા આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની જેલની સજા અને 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા સજા

CBIના સ્પેશિયલ પ્રોસિક્યુટર બીએમપી સિંહે કહ્યું કે, વિશેષ કોર્ટે શનિવારે નિર્દેશ આપ્યો છે કે 15 ફેબ્રુઆરીના રોજ દોષિત ઠેરવવામાં આવેલા 41 આરોપીઓમાંથી 38, જેઓ કોર્ટમાં હાજર થયા હતા, તેમને વીડિયો કોન્ફરન્સ દ્વારા સજા સંભળાવવામાં આવશે. તેમણે કહ્યું કે, અન્ય ત્રણ દોષિતો 15 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થઈ શક્યા નહોતા, જેના કારણે કોર્ટે ત્રણેય વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

આ પણ વાંચો: DORANDA FODDER SCAM : ઘાસચારા કૌભાંડ શું હતું, જેના કારણે લાલુ પ્રસાદને દોષિત જાહેર કરાયા!

38 દોષિતોમાંથી 35 બિરસા મુંડા જેલમાં બંધ

સિંહે કહ્યું કે સજા સંભળાવવામાં આવનાર 38 દોષિતોમાંથી 35 બિરસા મુંડા જેલમાં બંધ છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય ત્રણ દોષિતોને સ્વાસ્થ્યના કારણોસર રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. CBIના વિશેષ વકીલે કહ્યું કે, જેલ પ્રશાસન તમામ 38 દોષિતોને કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા કરશે. તેમણે કહ્યું કે, લાલુ પ્રસાદ સિવાય ડૉ. કેએમ પ્રસાદ અને યશવંત સહાયની રિમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે.

ઘાસચારા કૌભાંડનો મામલો ડોરાન્ડા ટ્રેઝરી સાથે સંબંધિત

આ ઘાસચારા કૌભાંડનો મામલો ડોરાન્ડા ટ્રેઝરી સાથે સંબંધિત છે. જેમાં ગેરકાયદેસર રીતે 139 કરોડ રૂપિયા ઉપાડવાની વાત થઈ હતી. RC 47A/96 ના આ કેસો, સૌથી મોટા ચારા કૌભાંડ, વાસ્તવમાં 1990 અને 1995 વચ્ચેના છે. CBIની વિશેષ અદાલતમાં આ અંગેની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ મુખ્ય આરોપી છે. ભૂતકાળમાં લાલુ યાદવને ઘાસચારા કૌભાંડના (DORANDA FODDER SCAM) અલગ-અલગ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.

આ પણ વાંચો: ETV BHARAT EXCLUSIVE: જાણો શું કહ્યું લાલુ પ્રસાદ યાદવે પેગાસસ મુદ્દે

ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં 99 આરોપીઓ

ડોરાન્ડા ટ્રેઝરી સંબંધિત કૌભાંડમાં શરૂઆતમાં 170 આરોપીઓ હતા. જેમાંથી 55 આરોપીઓના મોત થયા છે. ત્યારબાદ CBI દ્વારા દિપેશ ચાંડક અને આરકે દાસ સહિત સાત આરોપીઓને સાક્ષી બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ સુશીલ ઝા અને પીકે જયસ્વાલે કોર્ટના નિર્ણય પહેલા જ પોતાને દોષિત સ્વીકારી લીધા હતા. તે જ સમયે, આ કેસમાં 6 નામના આરોપીઓ ફરાર છે. આ કેસમાં પૂર્વ મુખ્ય લાલુ પ્રસાદ, પૂર્વ સાંસદ જગદીશ શર્મા, ડૉ આર કે રાણા, તત્કાલીન PAC અધ્યક્ષ ધ્રુવ ભગત, તત્કાલીન પશુપાલન સચિવ બેક જુલિયસ, પશુપાલન વિભાગના સહાયક નિર્દેશક ડૉ. કેએમ પ્રસાદ સહિત 99 આરોપીઓ છે.

આ પણ વાંચો: Lalu Admitted In AIIMS : લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

જાણો શું છે ડોરાન્ડા ટ્રેઝરી સંબંધિત ઘાસચારા કૌભાંડનો મામલો

  • કેસ નંબર -RC47A/96
  • કેસ નોંધાયેલ-16/04/96
  • પ્રથમ ચાર્જશીટ-8/5/2001
  • પૂરક ચાર્જશીટ-7.6.2003
  • CBI કોર્ટ દ્વારા સંજ્ઞા-8.5.2001
  • ચાર્જફ્રેમ-16.09.2005
  • ફરિયાદી પુરાવા-22.11.2005-16.05.2019
  • આરોપીનું નિવેદન-20.05.19-17.01.2020
  • સંરક્ષણ પુરાવા-20.01.2020-26.02.2021
  • ફરિયાદ પક્ષની દલીલ..02.03.2021-07.08.2021
  • સંરક્ષણ દલીલ..09.08.2021-29.01.2022
  • ચુકાદો..15.02.2022
  • કુલ આરોપી - 170 કુલ ગેરકાયદે ઉપાડ - 139.35 કરોડ
  • સરકારી સાક્ષી - 07 - દિપેશ ચાંડક, આરકે દાસ, શશિ કુમાર સિંહ, દ્વારકા પ્રસાદ, શિવનારાયણ સાહુ, આનંદ મોહન શ્રીવાસ્તવ, શૈલેષ પ્રસાદ સિંહે
  • ગુનો કબૂલ કર્યો - પ્રમોદ જયસ્વાલ અને સુશીલ કુમાર

અત્યાર સુધીના આ કેસમાં મળી છે લાલુને સજા

  • પહેલો કેસ- ચાઈબાસા ટ્રેઝરીમાંથી 37.7 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાનો આરોપ. લાલુ સહિત 44 આરોપી. સજા- કેસમાં 5 વર્ષની સજા હતી.
  • બીજો કેસ- દેવઘર સરકારી તિજોરીમાંથી 84.53 લાખ રૂપિયા ગેરકાયદે ઉપાડવાનો આરોપ. લાલુ સહિત 38 પર કેસ. સજા- લાલુને સાડા ત્રણ વર્ષની સજા અને 5 લાખનો દંડ.
  • ત્રીજો કેસ- ચાઈબાસા ટ્રેઝરીમાંથી 33.67 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાનો આરોપ. લાલુ સહિત 56 આરોપી. સજા- લાલુ દોષિત, 5 વર્ષની સજા.
  • ચોથો કેસ- દુમકા તિજોરીમાંથી 3.13 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાનો મામલો. લાલુ પ્રસાદ યાદવ દોષિત. સજા- 2 અલગ-અલગ કલમોમાં 7-7 વર્ષની કેદ, 60 લાખનો દંડ.
Last Updated :Feb 21, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.