ETV Bharat / bharat

દીપાવલી પર અયોધ્યા-વારાણસીમાં મુસ્લિમ મહિલાઓની બનાવેલા દિવા પ્રગટાવવામાં આવશે

author img

By

Published : Oct 30, 2021, 1:08 PM IST

વારાણસીના મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન(Muslim Women's Foundation) અને વિશાલ ભારત સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે, મુસ્લિમ મહિલાઓ ઈન્દ્રેશ નગર લામ્હીના રામપંથ આશ્રમમાં ગાયના છાણ અને માટીથી વૈવિધ્યપૂર્ણ શ્રી રામ(Shree Ram) દીવાઓ બનાવીને તૈયારી કરી રહી છે, જે અયોધ્યા(Ayodhya)ના સાકેત ભૂષણ મંદિરમાં પ્રગટાવવામાં આવશે. મુસ્લિમ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા દીપક દિવાળી પર હિન્દુ ભાઈ-બહેનોને આપવામાં આવશે, જેથી તેમના ઘરોમાં રોશની થાય અને સમાજમાં પ્રેમ, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશો ફેલાય.

દીપાવલી પર અયોધ્યામાં વારાણસીમાં મુસ્લિમ મહિલાઓની બનાવેલા દિવા પ્રગટાવવામાં આવશે
દીપાવલી પર અયોધ્યામાં વારાણસીમાં મુસ્લિમ મહિલાઓની બનાવેલા દિવા પ્રગટાવવામાં આવશે

મુસ્લિમ મહિલાઓ ગાયના છાણ, માટીથી શ્રી રામ દીવા બનાવી રહી છે હિન્દુ માટે

ભાઈચારા, લાગણી, પરસ્પર પ્રેમ રહે તે માટેનો સંદેશ મુસ્લિમ મહિલાઓનો

મુસ્લિમ મહિલાઓ દ્રારા અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવવામાં આવશે

વારાણસીઃ ધર્મ અને આધ્યાત્મિકતાની નગરી કાશીને માત્ર પ્રાચીન સભ્યતાનું જ પ્રતીક માનવામાં આવતું નથી, પરંતુ તે પરસ્પર ભાઈચારા અને પ્રેમનું પ્રતિબિંબ પણ રહ્યું છે. અહીં તમામ સંપ્રદાયો, ધર્મને માનનારાઓ ખૂબ પ્રેમથી રહે છે, એકબીજાના તહેવારો ઉજવે છે. હિંદુઓ ઈદની ઉજવણી કરે છે અને મુસ્લિમો દિવાળી પર દીવા કરીને તેનું વિતરણ કરે છે.આ ક્રમમાં, મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન અને વિશાલ ભારત સંસ્થાન(Vishal Bharat Sanstha)ના સંયુક્ત નેજા હેઠળ, મુસ્લિમ મહિલાઓ ગાયના છાણ અને માટીથી વૈવિધ્યપૂર્ણ શ્રી રામ દીવા બનાવીને ઈન્દ્રેશ નગર લામ્હીમાં રામપંથ આશ્રમ માટે તૈયારી કરી રહી છે. જે અયોધ્યાના સાકેત ભૂષણ મંદિરમાં બળશે. મુસ્લિમ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ દીપક દિવાળીDiwali પર હિન્દુ ભાઈ-બહેનોને આપવામાં આવશે, જેથી તેમના ઘરને રોશની કરી શકાય.

શ્રી રામ દીપકમાં ત્રણ સંદેશ છુપાયેલા છે

દિવાળીના અવસર પર વારાણસીની મુસ્લિમ મહિલાઓ હિંદુ ભાઈ-બહેનો માટે માટી અને ગોબરમાંથી દીવા બનાવી રહી છે. અયોધ્યા(Ayodhya)માં પણ મુસ્લિમ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા દીવાઓ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ મહિલાઓએ જણાવ્યું કે, અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા શ્રી રામ દીપકમાં ત્રણ સંદેશ છુપાયેલા છે, એક ગાય સંરક્ષણ, બીજો પર્યાવરણ સંરક્ષણ અને ત્રીજો ધાર્મિક દ્વેષથી મુક્તિનો. આજે સમગ્ર વિશ્વ ધર્મના નામે હિંસાનો શિકાર બની રહ્યું છે. માટી અને ગાયના છાણમાંથી બનાવેલો શ્રી રામનો દીપ માત્ર કાશીમાં જ પ્રગટાવવામાં આવશે નહીં પરંતુ અયોધ્યાના સાકેત ભૂષણ શ્રી રામ પીઠમાં પણ પ્રગટાવવામાં આવશે.

મુસ્લિમ મહિલાઓના દીવા હિન્દુ ભાઈ-બહેનોને ઘરમાં રોશની કરવા માટે આપવામાં આવશે

વિશાલ ભારત સંસ્થાનના રાષ્ટ્રીય મહાસચિવ અર્ચના ભારતવંશીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વર્ષે પણ વિશાલ ભારત સંસ્થાન અને મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન(Muslim Women's Foundation) મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન સાથે મળીને માટી અને ગાયના છાણના દીવા બનાવી રહ્યા છે. મુસ્લિમ મહિલાઓ આ દીવા બનાવી રહી છે જે દિવાળી પર હિન્દુ ભાઈ-બહેનોને ઘરમાં રોશની કરવા માટે આપવામાં આવશે. આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે અયોધ્યામાં મનાવવામાં આવી રહેલી દિવાળીમાં જે દીવાઓ સજાવવામાં આવશે. તેની વચ્ચે મુસ્લિમ મહિલાઓ દ્વારા બનાવેલા રામ નામના 108 દીવા પણ પ્રગટાવવામાં આવશે.

મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના દ્રારા અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવવામાં આવશે

આ પ્રસંગે મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નાઝનીન અંસારીએ કહ્યું કે, ભગવાન શ્રી રામના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. દિવાળી પર અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવવામાં આવશે, જેમાં 108 દીવા મુસ્લિમ મહિલાઓના પણ હશે. ભગવાન શ્રી રામ દરેકના છે, આજે સમગ્ર વિશ્વએ શ્રી રામ સંસ્કૃતિ અપનાવવાની જરૂર છે.

આ પણ વાંચોઃ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સુરતની મુલાકાતે, કહ્યું- એક મેચ હારવાથી ભારતીય ટીમ નબળી છે એવું હું નથી માનતો

આ પણ વાંચોઃ રાજ્યમાં 10 જેટલા વીજળી ઉત્પાદક મથકો બંધ : ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી કરવી પડે છે Electricity

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.