ETV Bharat / bharat

Delhi Cm Kejriwal Visits Gujarat : દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

author img

By

Published : Dec 25, 2021, 3:44 PM IST

Updated : Dec 25, 2021, 4:25 PM IST

પેપર લીક કાંડ અંગે થયેલા ઘર્ષણ બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી શકે છે.

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

ગુજરાતમાં પેપર લીક કાંડને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર કમલમ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેને પગલે ભાજપ અને આપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. બન્ને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે ભારે સંર્ષણ સર્જાતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આથી, આપના અનેક કાર્યકર્તાઓને ઈજા પણ પહોંચી હતી. આ બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી સહિતના 60 જેટલા કાર્યકર્તાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ મોટા ઘર્ષણને લઈને સુત્રો દ્વારા મળતી માહિતીને આધારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી શકે છે.

Last Updated : Dec 25, 2021, 4:25 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.