ETV Bharat / bharat

Tejashwi Yadav Defamation Case: તેજસ્વી યાદવની મુશ્કેલીમાં થયો વધારો, માનહાનિ કેસમાં અમદાવાદની કોર્ટમાં થઇ પ્રથમ સુનાવણી

author img

By

Published : May 1, 2023, 1:05 PM IST

Updated : May 1, 2023, 6:11 PM IST

તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની અમદાવાદ કોર્ટમાં આજે સુનાવણી
તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની અમદાવાદ કોર્ટમાં આજે સુનાવણી

બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં આજે ફરિયાદ નોંધાઇ છે. ગુજરાતીઓ વિરુદ્ધ અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ કેસમાં કાયદાની કઈ કલમ મુજબ કાર્યવાહી કરવી તે કોર્ટ આગામી સમયમાં નિર્ણય લેશે. તેમજ વધુ સુનાવણી 8 મે નાં રોજ હાથ ધરવામાં આવશે.

અરજદારના વકીલ પી.આર. પટેલ

અમદાવાદ: બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ નોંધાવામાં આવી છે. મેટ્રો કોર્ટ સમક્ષ ફરિયાદીએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ ,ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 22 માર્ચ 2023નાં રોજ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં કાયદાની કઈ કલમ મુજબ કાર્યવાહી કરવી તે કોર્ટ આગામી સમયમાં નિર્ણય લેશે. તેમજ વધુ સુનાવણી 8 મે નાં રોજ હાથ ધરવામાં આવશે.

Tejashwi Yadav
Tejashwi Yadav

વકિલનું નિવેદન : અરજદારના વકીલ પી.આર. પટેલે જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ સામે 499 અને 500 ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. આજે ફરિયાદી હરેશ મહેતાનું વેરિફિકેશન કોર્ટમાં કરવામાં આવ્યું છે. અમારા તરફથી કોર્ટ સમક્ષ કહેવામાં આવ્યું હતું કે, વેરિફિકેશનના આધારે અને મળેલા પુરાવાના આધારે કોર્ટે 202ના આધારે ઇન્કવાયરી તેમજ 204 મુજબ કાર્યવાહી કરવામાં આવે. અમારા તરફથી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો કોર્ટે હળવાશમાં લેવું ના જોઈએ. બંધારણની જોગવાઈ 14 મુજબ કોઈપણ વ્યક્તિ દેશમાં સમાન હક ધરાવે છે તેથી જો આરોપી મોટો હોદ્દેદાર હોય તો તે ધ્યાનમાં ના લેવું જોઈએ અને કોર્ટે હુકમ કરવો જોઈએ.

Tejashwi Yadav
Tejashwi Yadav

સામાજીક કાર્યકરએ કેસ દાખલ કર્યો હતો : હજુ તો રાહુલ ગાંધીના માનહાનિના કેસમાં કોઇ ચોક્કસ ચૂકાદો આવ્યો નથી. ત્યાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામેના માનહાનિ કેસની અમદાવાદ કોર્ટ આજે 1 મેના (આજે સોમવાર) રોજ સુનાવણી કરવામાં આવશે. વાસ્તવમાં પટના વિધાનસભા પરિસરમાં આપેલા નિવેદનમાં તેમણે ગુજરાતના લોકોને ગુંડા ગણાવ્યા હતા, જેના માટે અમદાવાદના વેપારી અને સામાજિક કાર્યકર હરેશ મહેતાએ 26 એપ્રિલે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે કેસ દાખલ કર્યો હતો, તે જ કેસમાં આજે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો MP Brij Bhushan Sharan Singh: WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને પડકાર ફેંક્યો

અમદાવાદની કોર્ટમાં સુનાવણીઃ માનહાનિના આ કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આ સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજદારનું કહેવું છે કે તેજસ્વી યાદવે ગુજરાતીઓને 'ઠગ' કહીને તેમનું અપમાન કર્યું છે, જેના કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ફરિયાદી હરેશ મહેતાએ જણાવ્યું હતું કે 22 માર્ચે તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં એક સમાચાર જોયા હતા જેમાં બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓ માટે 'ઠગ' શબ્દનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતું કે 'બધા ગુજરાતીઓ ઠગ છે'. આ ગુજરાતીઓનું અપમાન છે.

શું છે સમગ્ર મામલોઃ આ સમગ્ર મામલાની વિગતો પર નજર કરીએ તો બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે તારીખ 22 માર્ચ 2023ના રોજ ગુજરાતીઓ માટે 'ઠગ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેજસ્વી યાદવે આ રેડ સ્ટેટમેન્ટ PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની કોર્નર નોટિસ રદ કરવાના પ્રશ્ન પર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દેશમાં માત્ર ગુજરાતીઓ જ ગુંડા બની શકે છે. આ કેસમાં મેટ્રો કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, કોર્ટે આ અરજી સ્વીકારી લીધી છે. આ અરજી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Karnataka Assembly Election 2023: પીએમ મોદી પર મોબાઈલ ઘા કરતા ચકચાર, મૈસુરમાં રોડ શો દરમિયાન ફોન ફેંકવામાં આવ્યો

પુરાવાઓની તપાસ કરશે: માનહાનિના આ કેસમાં જો કોર્ટને તથ્યો સાચા લાગે છે. તો બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને પણ સમન્સ જારી કરવામાં આવી શકે છે. પ્રથમ રાઉન્ડમાં કોર્ટ ફરિયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવાઓની તપાસ કરશે. જો કોર્ટ તેજસ્વી યાદવ સામે સમન્સ જારી કરે છે. આવનારા દિવસોમાં બિહારના નાયબ મુખ્યપ્રધાન મુશ્કેલીઓ વધી શકે છે. માર્ચ મહિનામાં આપેલા તેમના નિવેદનને ગુજરાતની જનતાના અપમાન સાથે જોડવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદની કોર્ટ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ?

રાહુલ ગાંધી કેસ: લોકસભા 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલાર જિલ્લામાં રેલી દરમિયાન મોદી અટક પર ટિપ્પણી કરી હતી. જેની સામે માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલા આ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઇ છે. ત્યારે રાહુલ ગાંધીએ આ સજા પર સ્ટે મેળવવાની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરેલી છે તેના પર સુનાવણી યોજાઇ હતી. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો પણ હાઇકોર્ટ સંકુલમાં જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવી અને પૂર્ણેશ મોદીના વકીલ મીતેશ અમીન દ્વારા કેસ સંદર્ભે દલીલો કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં હવે આગામી સુનાવણી 2 મે એટલે કે આવતીકાલે મંગળવારે યોજાશે.

Last Updated :May 1, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.