ETV Bharat / bharat

DDMA New Guidelines: દિલ્હીમાં કોવિડ 19 સંક્રમણને ફેલાતા અટકાવા DDMA લીધો નિર્ણય

author img

By

Published : Jan 11, 2022, 8:29 PM IST

કોરોનાના વધતા (covid restrictions) ખતરાને જોતા દિલ્હીમાં રેસ્ટોરન્ટ અને બારમાં જમવાની સુવિધા બંધ (Delhi Restaurant Closed Due to corona) કરવાના આદેશ (DDMA New Guidelines) આપવામાં આવ્યા છે. જેનો રેસ્ટોરન્ટ માલિકોએ વિરોધ કર્યો છે અને નિર્ણય પર પુનઃવિચાર કરવાની માંગણી કરી છે.

DDMA New Guidelines: દિલ્હીમાં કોવિડ 19 સંક્રમણને ફેલાતા અટકાવા DDMA લીધો નિર્ણય
DDMA New Guidelines: દિલ્હીમાં કોવિડ 19 સંક્રમણને ફેલાતા અટકાવા DDMA લીધો નિર્ણય

નવી દિલ્હી: દિલ્હીમાં રેસ્ટોરન્ટ (Delhi Restaurant Closed Due to corona) અને બારના માલિકોએ મંગળવારે શહેરમાં ડાઇન-ઇન સુવિધાઓ બંધ કરવાના DDMAના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ભાડું અને કર્મચારીઓનો પગાર માત્ર ટેકવે સેવાઓમાંથી ના (covid restrictions) નીકળી શકે. (DDMA New Guidelines) તેના આ નિર્ણયથી ઘણા ધંધા અને વ્યવસાયોને માઠી અસર થશે.

રેસ્ટોરન્ટના માલિકો દ્વારા DDMAને કરી વિનંતી

તેમણે કહ્યું કે, આ અન્યાય છે કે શહેરના રેસ્ટોરન્ટ અને બાર બંધ (SUSPENSION OF DINE IN FACILITIES) કરાવાના આદેશો આપવામાં આવી રહ્યા છે, જ્યારે રસ્તાની આસપાસ આવેલી તમામ ખાણીપીણીની દુકાનો ખુલ્લી છે અને મેટ્રો ટ્રેન અને બસ સેવા સંપૂર્ણ ક્ષમતાથી ચાલી રહી છે. રેસ્ટોરન્ટના માલિકો દ્વારા દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને તેના નિર્ણય પર સમીક્ષા કરવા વિનંતી કરી છે.

કોવિડ-19ના વધતા જતા કેસોને પગલે DDMA લીધો નિર્ણય

કોવિડ-19ના વધતા જતા કેસોને (Covid 19 case India) અને પરિસ્તથતિ બેકાબું ના થાય તેવા સંજોગ અનુસાર, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આદેશ આપ્યો છે કે, શહેરના તમામ રેસ્ટોરન્ટ અને બાર બંધ કરવામાં આવે. આ સિવાય આદેશમાં એ પણ સામેલ છે કે, રેસ્ટોરન્ટ ગ્રાહકોને ઘરે બેઠા ઓર્ડર આપી ઘરે ભોજન મળી રહે તે પ્રકારની સવલત ઉભી કરે. આ ઉપરાંત લોકો રેસ્ટોરન્ટમાંથી ફૂડ પેક કરાવીને લઈ જઇ શકે. એવું જાણવા મળ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ -19ના કેસ બુલેટ સ્પીડથી વધી રહ્યા છે અને સંક્રમણનો દર 23 ટકાને વટાવી ચુક્યો છે,ત્યારે દિલ્હીમાં COVID-19ના સંક્રમણને ફેલાતા અટકાવા માટે જાળ બનાવાની જરૂર છે.

રેસ્ટોરન્ટમાંથી ફૂડ પાર્સલ કરીને ઘરે લઇ જવાની પરવાનગી

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મુક્ત કેટેગરીમાં આવતી ઓફિસો સિવાય તમામ ખાનગી ઓફિસો બંધ રહેશે અને વર્ક ફ્રોમ હોમની પ્રક્રિયાને અનુસરશે. આ સાથે તમામ રેસ્ટોરન્ટ અને બાર બંધ રહેશે, પરંતુ રેસ્ટોરન્ટને ભોજનની હોમ ડિલિવરી આપવાની પરવાનગી છે. આ સિવાય લોકો રેસ્ટોરન્ટમાંથી ફૂડ પાર્સલ કરીને ઘરે લઈ જઇ શકે છે.

આ પણ વાંચો:

DDMA New Guidelines: દિલ્હીમાં ખાનગી ઓફિસો બંધ કરવા આદેશ, DDMAએ જાહેર કરી નવી ગાઈડલાઈન

Corona Cases in India: IGI એરપોર્ટ પર દિલ્હીથી દુબઈ જઈ રહેલા 25 મુસાફરો કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.