ETV Bharat / bharat

દેશના પૂર્વ કિનારે વાવાઝોડાનું સંકટ, ઓડિશામાં આપવામાં આવ્યું એલર્ટ

author img

By

Published : May 7, 2022, 3:08 PM IST

દક્ષિણ આંદામાન સમુદ્ર પર શુક્રવારે તાપમાનનું દબાણ (low pressure South Andaman Sea) વધવાથી વાવાઝોડાની સંભાવના છે. આ વાવાઝોડું આવતા સપ્તાહની શરૂઆતમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના (cyclonic storm In Odisha) છે, જેને ધ્યાનમાં રાખીને ઓડિશામાં ચેતવણી આપવામાં આવી છે.

દેશના પૂર્વ કિનારે વાવઝોડાનું સંકટ
દેશના પૂર્વ કિનારે વાવઝોડાનું સંકટ

ભુવનેશ્વર/કોલકાતા: દક્ષિણ આંદામાન સમુદ્ર પર શુક્રવારે તાપમાનમાં દબાણને કારણે તોફાનની સંભાવના (CYCLONE THREAT LOOMS) સેવાઈ રહી છે. આ વાવાઝોડું આવતા સપ્તાહની શરૂઆતમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ઓડિશામાં ચેતવણી (cyclonic storm In Odisha) જાહેર કરવામાં આવી છે. આ વાવાઝોડાના આગમનને કારણે પૂર્વી તટીય રાજ્યોમાં ભારે વરસાદ થશે.

લો પ્રેશરને કારણે વાવઝોડું : હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન સર્જાશે.

આ પણ વાંચો : Jawad Cyclone Update : ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળ ચક્રવાત 'જાવાદ'ને લઈને એલર્ટ, NDRFની ટીમ તૈનાત

તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા : હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હવામાન પ્રણાલી દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને શનિવાર સુધીમાં મજબૂત થવાની સંભાવના છે. રવિવાર સાંજ સુધીમાં તે વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. ચક્રવાતી વાવાઝોડાની સંભવિત રચનાને ધ્યાનમાં રાખીને, હવામાન કચેરીએ આવતા સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગાના પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. ઓડિશા સરકારે જણાવ્યું હતું કે, આગાહીને પગલે આપત્તિ પ્રતિભાવ અને ફાયર બ્રિગેડની સેવાઓની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : ચક્રવાતની લપેટમાં આવી મેફિલ્ડ ફેક્ટરી, આઠના થયાં મૃત્યું

ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાક : તેમણે કહ્યું કે, તોફાન 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની આશા છે. મહાપાત્રાએ કહ્યું કે, તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠાની નજીક પહોંચશે ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ બહાર ન જવું જોઈએ. તેમણે કહ્યું કે, અનુમાન મુજબ ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.