ETV Bharat / bharat

જાણો 'પંજો' કેમ પકડશે CPIના યુવા કોમરેડ કન્હૈયા કુમાર, શું કૉંગ્રેસને થશે ફાયદો?

author img

By

Published : Sep 28, 2021, 3:45 PM IST

શું કોંગ્રેસને યુવા ડાબેરી નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિત નેતા જીગ્નેશ મેવાણીની જરૂર છે કે પછી આ બંને નેતાઓએ 5 વર્ષ રાહ જોયા બાદ એવી પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું છે જ્યાં તેઓ ચર્ચામાં રહે. બંને યુવા નેતાઓ કોંગ્રેસમાં કેમ જોડાઈ રહ્યા છે? વાંચો આ રિપોર્ટ.

જાણો 'પંજો' કેમ પકડશે CPIના યુવા કોમરેડ કન્હૈયા કુમાર
જાણો 'પંજો' કેમ પકડશે CPIના યુવા કોમરેડ કન્હૈયા કુમાર

  • મજબૂત છબીવાળા યુવા નેતાઓને પાર્ટીમાં લાવી રહી છે કૉંગ્રેસ
  • 28 સપ્ટેમ્બરના કૉંગ્રેસમાં સામેલ થઈ શકે છે કન્હૈયા અને જિગ્નેશ
  • કન્હૈયાએ સીપીઆઈ જોઇન કરી હતી, 2019 લોકસભા ચૂંટણીમાં ગિરિરાજ સામે થઈ હતી હાર

હૈદરાબાદ: સતત યુવા નેતૃત્વ ગુમાવી રહેલી કૉંગ્રેસ હવે મજબૂત છાપ ધરાવનારા યુવા નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહી છે. ચર્ચા એ છે કે પાર્ટીના રણનીતિકાર પ્રશાંત કિશોરની સલાહ પર પાર્ટી સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કૉંગ્રેસમાં કરાવવામાં આવશે. ન્યુઝ એજન્સી એએનઆઈ પ્રમાણે બંને યુવા નેતાઓ 28 સપ્ટેમ્બરના શહીદ ભગત સિંહની જયંતીના દિવસે કૉંગ્રેસમાં સામેલ થશે.

2016માં કન્હૈયા કુમારે જગાવી હતી ચર્ચા

દિલ્હીની જવાહર લાલ નહેરૂ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘ (JNUSU)ના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સીપીઆઈની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદના સભ્ય છે. 2016માં કન્હૈયા કુમારનો જેએનયુ અવતાર ઘણો જ પ્રસિદ્ધ થયો હતો. રાજદ્રોહ કાયદા, ભડકાઉ ભાષણો, આંદોલન અને ધરપકડ બાદ કન્હૈયા ડાબેરી રાજનીતિના નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા.

2019ની લોકસભા ચૂંટણીમાં ગિરિરાજ સામે હાર

બેગૂસરાયમાં ભૂમિહાર જાતિના મતદારોની સંખ્યા સૌથી વધારે
બેગૂસરાયમાં ભૂમિહાર જાતિના મતદારોની સંખ્યા સૌથી વધારે

જેએનયુથી નીકળ્યા બાદ કન્હૈયા કુમારે સીપીઆઈ જોઇન કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે બેગૂસરાયથી બીજેપીના ગિરિરાજ સિંહ વિરુદ્ધ ટક્કર લીધી હતી, પરંતુ લગભગ 22 ટકા વોટ મેળવ્યા છતાં તેઓ હારી ગયા હતા. બેગૂસરાયમાં ભૂમિહાર જાતિના મતદારોની સંખ્યા સૌથી વધારે છે અને કન્હૈયા કુમાર ભૂમિહાર છે. હવે સીપીઆઈના ફ્રન્ટ રન કૉંગ્રેસ સાથે હાથ મિલાવશે.

લેફ્ટથી સેન્ટરમાં કેમ જવા લાગ્યા યુવા કોમરેડ?

2019માં ચૂંટણી હાર્યા પહેલા કન્હૈયા કુમાર દેશમાં એક મજબૂત વક્તા તરીકે ઓળખાતા હતા. પોતાના ભાષણમાં તેમણે મોદી સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી, પરંતુ ચૂંટણી બાદ તેઓ પાર્ટીની અંદર જ વિવાદોના કારણે નિષ્ક્રિય થઈ ગયા. 2021માં બિહાર પ્રદેશ કાર્યાલય સચિવ ઇંદુભૂષણ વર્માની સાથે મારઝૂડ બાદ પાર્ટીએ તેમની ટીકા કરી હતી. હૈદરાબાદમાં થયેલી નેશનલ પાર્ટીની બેઠકમાં આ નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. એ બેઠકમાં સીપીઆઈ નેશનલ કાઉન્સિલના 110 સભ્યો હતા. આમાંથી ફક્ત 3ને છોડીને બાકીના અન્ય તમામે કન્હૈયાની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

સીપીઆઈને ગણાવી ભારતીય કન્ફ્યુજન પાર્ટી

ત્યારબાદ અનેક તકો આવી જ્યારે કન્હૈયાએ સીપીઆઈને ભારતીય કન્ફ્યુજન પાર્ટી ગણાવી દીધી હતી. વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટ પાર્ટીઓએ આરજેડી અને કૉંગ્રેસની સાથે ગઠબંધન કર્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં કન્હૈયા સ્ટાર પ્રચારક તરીકે જોવા ન મળ્યા. માનવામાં આવે છે કે પાર્ટીમાં અવગણનાથી દુ:ખી ડાબેરી નેતાએ કૉંગ્રેસ તરફ પ્રયાણ કર્યું છે.

સેક્રેટરી પદ અને ટિકિટ વહેંચવાનો અધિકાર માંગ્યો

એવું કહેવામાં આવે છે કે કન્હૈયાએ કેડર આધારિત પાર્ટી CPIમાં રહેવા માટે સેક્રેટરી પદ અને ટિકિટ વહેંચવાનો અધિકાર માંગ્યો હતો. જો કે તેમણે તેની પુષ્ટિ કરી નથી. પરંતુ જ્યારે પાર્ટીના કેન્દ્રીય પદાધિકારીઓએ તેમને પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાને રદિયો આપવા કહ્યું ત્યારે તેઓ મૌન રહ્યા.

રાહુલ ગાંધી અને કન્હૈયા વચ્ચે 2 વાર થઈ ચૂકી છે મુલાકાત

કન્હૈયા અને રાહુલ ગાંધીની 2 વાર મુલાકાત થઈ ચૂકી છે. કૉંગ્રેસે કન્હૈયાને રાષ્ટ્રીય ભૂમિકામાં પણ લાવવાની ખાતરી આપી છે. જો કે માર્ચમાં તેઓ જેડીયૂ નેતા નીતિશ કુમારને પણ મળ્યા હતા. ત્યારે તેઓ જેડીયૂમાં સામેલ થશે તેવી અટકળો લગાવવામાં આવી હતી.

કૉંગ્રેસને શું કન્હૈયાની જરૂર છે?

છેલ્લા 30 વર્ષથી કૉંગ્રેસ બિહારમાં પોતાનો જનાધાર શોધી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન બાદ પાર્ટીને સીટ તો મળી જાય છે, પરંતુ બહોળા જનસમર્થનની ઉણપ રહે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ આરજેડી સાથે ગઠબંધન બાદ 70 સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ તેને 19 સીટો પર જ સફળતા મળી હતી. પાર્ટીના કેન્દ્રીય નેતાઓનું માનવું છે કે અત્યારે બિહારમાં નીતિશ કુમાર અને એનડીએ પર પ્રહાર કરનારો યુવા ચહેરો નથી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીની વિરુદ્ધ પ્રસ્તાવિત મહા અભિયાન માટે તેને યુવા નેતાઓની જરૂર છે જેને જનતા ઓળખે છે. સાથે જ તે પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટતાથી રાખતો હોય.

કૉંગ્રેસ નેતૃત્વને લાગે છે કે વિદ્યાર્થી નેતા તરીકે કન્હૈયાને સંગઠનનો અનુભવ છે. આરએસએસની વિરુદ્ધ તેમનું ભાષણ નરેન્દ્ર મોદી અને બીજેપીની વિરુદ્ધ માહોલ બનાવે છે. કન્હૈયા ભૂમિહાર જાતિથી આવે છે. કૉંગ્રેસ કન્હૈયા દ્વારા આ જાતિને ફરીવાર પોતાની સાથે જોડવા ઇચ્છે છે. અત્યારે બિહારના ભૂમિહાર મતદારો બીજેપી સાથે હોવાનું માનવામાં આવે છે.

2017ના 3 યુવા નેતાઓ અત્યારે ક્યાં છે?

ત્યારે ગુજરાતમાં પણ 3 યુવા નેતાઓએ પોતાના તેવરથી ચર્ચાઓ જગાવી હતી
ત્યારે ગુજરાતમાં પણ 3 યુવા નેતાઓએ પોતાના તેવરથી ચર્ચાઓ જગાવી હતી

જ્યારે કન્હૈયા દિલ્હીમાં લાલ ઝંડો લઇને મોદી સરકારનો વિરોધ કરી રહ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ 3 યુવા નેતાઓએ પોતાના તેવરથી ચર્ચાઓ જગાવી હતી. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરની ત્રિપુટીએ કૉંગ્રેસને બીજેપીની ટક્કરમાં લાવીને ઉભું કર્યું હતું. અત્યારે હાર્દિક પટેલ ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. અલ્પેશ ઠાકોર બીજેપીમાં જતા રહ્યા. જિગ્નેશ મેવાણી હવે કન્હૈયા સાથે કૉંગ્રેસ જોઇન કરી શકે છે.

આ પણ વાંચો: કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાઈ શકે છે

આ પણ વાંચો: કેપ્ટન અમરિંદર સિંહ આજે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અને અમિત શાહને મળે તેવી સંભાવના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.