ETV Bharat / bharat

ઓહો! ભારત હવે સુકા છાણાની નિકાસ કરશે, કુવૈતે આપ્યો આટલો મોટો ઑર્ડર

author img

By

Published : Jun 11, 2022, 10:18 PM IST

ભારતમાંથી ગાયનું છાણ હવે કુવૈત (cow dung exported from india to kuwait) જવાનું છે. ભારત 192 મેટ્રિક ટન સુકુ છાણ કુવૈતમાં રવાના કરશે. જેથી ત્યાં એક જૈવિક ખેતિ થઈ શકે. કસ્ટમ વિભાગની દેખરેખ હેઠળ એનું પેકિંગ થઈ રહ્યું છે. જોકે, પહેલી વખત ભારત છાણની (Cow Dung First time Export from India) નિકાસ કરે છે.

ઓહો! ભારત હવે સુકા છાણાની નિકાસ કરશે, કુવૈતે આપ્યો આટલો મોટો ઑર્ડર
ઓહો! ભારત હવે સુકા છાણાની નિકાસ કરશે, કુવૈતે આપ્યો આટલો મોટો ઑર્ડર

જયપુર: આપણા દેશમાં થતી જૈવિક ખેતીનો (Organic Farming Concept) અભિગમ હવે વિદેશમાં પણ જાણીતો બની રહ્યો છે. વિદેશોમાં પણ ગાયના છાણની (Demands of Cow Dung) માંગ ધીમે ધીમે વધી રહી છે. પ્રથમ વખત દેશી ગાયના છાણની દેશની બહાર જૈવિક ખેતી થવા જઈ રહી છે. કુવૈતે ભારતમાંથી 192 મેટ્રિક ટન સ્વદેશી (Cow Dung Export from India) ગાયના છાણની આયાત કરી છે. જેથી ત્યાં ઓર્ગેનિક ખેતી કરી શકાય. કુવૈતની જેમ શારજહાન પણ ગાયના છાણની આયાત કરશે. 1000 મેટ્રિક ટન ગોબર મોકલવાનો ઓર્ડર પણ મળ્યો છે.

આ પણ વાંચો: પાટણમાં નવા શૈક્ષણિક સત્રમાં બાળકોને આવકારવા તંત્ર સજ્જ, 40 બાળકોને RTE અંતર્ગત નહીં મળે પ્રવેશ

પહેલી વાર છાણાની નિકાસ: આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ભારતમાંથી દેશી ગાયનું છાણ કુવૈત જશે. કુવૈતે આ માટે ઓર્ડર આપી દીધો છે. ઓર્ગેનિક ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં ચલાવવામાં આવી રહેલા ઓર્ગેનિક ફાર્મિંગ મિશનને કારણે આ શક્ય બન્યું છે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અતુલ ગુપ્તાએ જણાવ્યું કે ભારતમાંથી 192 મેટ્રિક ટન દેશી ગાયનું છાણ મોકલવામાં આવશે.

ઓહો! ભારત હવે સુકા છાણાની નિકાસ કરશે, કુવૈતે આપ્યો આટલો મોટો ઑર્ડર
ઓહો! ભારત હવે સુકા છાણાની નિકાસ કરશે, કુવૈતે આપ્યો આટલો મોટો ઑર્ડર

કસ્ટમ વિભાગની દેખરેખ હેઠળ પેકિંગઃ કસ્ટમ વિભાગની દેખરેખ હેઠળ ટોંક રોડ પર આવેલી પાંજરાપોળ ગૌશાળાના સનરાઈઝ ઓર્ગેનિક પાર્કમાં કન્ટેનરમાં ગાયના છાણના પેકિંગનું કામ ચાલી રહ્યું છે. તેના પ્રથમ કન્સાઈનમેન્ટ તરીકે, કન્ટેનર તારીખ 15 જૂને કનકપુરા રેલ્વે સ્ટેશનથી રવાના થશે. ગોબરના આ કન્ટેનર મોકલવાનું કામ તારીખ 20 જૂન સુધી ચાલુ રહેશે. અહીંથી તેઓ કન્ટેનર ટ્રેન મારફતે ગુજરાતના મુન્દ્રા બંદરે જશે અને ત્યાંથી જહાજમાં કુવૈત જવા રવાના થશે. કુવૈતના કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યાપક સંશોધન બાદ જાણવા મળ્યું છે કે ગાયનું છાણ પાક માટે ખૂબ જ ઉપયોગી છે. ગાયના છાણના ઉપયોગથી માત્ર પાક ઉત્પાદનમાં વધારો થતો નથી. તેના બદલે, આ કાર્બનિક ઉત્પાદનોના ઉપયોગથી આરોગ્ય પર નોંધપાત્ર અસરો જોવા મળી છે.

આ પણ વાંચો: રોંગ સાઈડ રોમીયોની ધોલાઈ, રસ્તા પર જાહેરમાં મહિલાએ ચખાવ્યો મેથીપાક, જૂઓ વીડિયો...

બેસ્ટ જંતુનાશક: નિષ્ણાંતોએ પોતાના રીસર્ચમાં એવું જોયું કે તેમના પાકમાં જંતુનાશકની અસર માત્ર ભારતીય દેશી ગાયના છાણથી જ દૂર કરી શકાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખજૂરના પાકમાં પાઉડરના રૂપમાં દેશી ગાયના છાણનો ઉપયોગ ફળોના કદમાં વધારો તેમજ ઉત્પાદનમાં અપેક્ષિત વધારો દર્શાવે છે.

પશુઓની સંખ્યા લાખોમાં: સનરાઈઝ ઓર્ગેનિક પાર્કના ડૉ.અતુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતમાં પશુઓની સંખ્યા લગભગ 300 મિલિયન છે. તેઓ દરરોજ લગભગ 30 લાખ ટન ગાયનું સુકુ છાણ તૈયાર થાય છે. આમાંથી ત્રીસ ટકા કોઈ રીતે બળી જાય છે. જ્યારે બ્રિટનમાં ગાયના છાણમાંથી દર વર્ષે 60 લાખ યુનિટ વીજ ઉત્પાદન થાય છે. તો ચીનમાં 15 કરોડ ઘરોને ઘરગથ્થુ ઊર્જા માટે ગોબર ગેસ પૂરો પાડવામાં આવે છે. નેશનલ કમિશન ફોર એગ્રીકલ્ચરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટવમાં ગાયના છાણને બાળવું જોઈએ નહીં. જોકે, કુવૈતે એક સંશોધન બાદ ભારતમાંથી આટલી મોટી સંખ્યમાં ગાયના છાણાનો ઓર્ડર આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.