ETV Bharat / bharat

કોવિશિલ્ડને EU તરફથી લીલી ઝંડી ન મળી, Adar Poonawalaએ કહ્યું રાજદ્વારી સ્તર પર કરશે ચર્ચા

author img

By

Published : Jun 28, 2021, 1:53 PM IST

સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના માલિક અદાર પૂનાવાલા (Adar Poonawala)એ ભારતીયોને વિશ્વાસ અપાવ્યો છે કે, યુરોપ યાત્રા (Travel to Europe)ની ઈચ્છા રાખનારા ભારતીયો માટે ઝડપથી જ નિયામક અને રાજદ્વારી સ્તર પર ચર્ચા કરશે.

કોવિશિલ્ડને EU તરફથી લીલી ઝંડી ન મળી, Adar Poonawalaએ કહ્યું રાજદ્વારી સ્તર પર કરશે ચર્ચા
કોવિશિલ્ડને EU તરફથી લીલી ઝંડી ન મળી, Adar Poonawalaએ કહ્યું રાજદ્વારી સ્તર પર કરશે ચર્ચા

  • સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના માલિક અદાર પૂનાવાલા (Adar Poonawala)એ ભારતીયોને અપાવ્યો વિશ્વાસ
  • યુરોપીય યાત્રા (Travel to Europe)ની ઈચ્છા રાખનારા ભારતીયો માટે ઝડપથી જ નિયામક અને રાજદ્વારી સ્તર પર ચર્ચા કરશે
  • કોવિશિલ્ડની વેક્સિન (vaccine Covishield) લગાવનારા ભારતીયોને યુરોપીય સંઘ (European Union)ના પ્રવાસ દરમિયાન આવી રહી છે સમસ્યા

નવી દિલ્હીઃ કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ (Corona vaccine Covishield) બનાવનારી કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલા (Executive Officer Adar Poonawala)એ સોમવારે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમને કોવિશિલ્ડની વેક્સિન (vaccine Covishield) લગાવનારા ભારતીયોને યુરોપીય સંઘ (European Union)ના પ્રવાસ દરમિયાન આવતી સમસ્યાનો મુદ્દો યુરોપીય સંઘ (European Union)ના ઉચ્ચ સ્તર (High level)પર ઉઠાવ્યો છે અને આ મુદ્દે ટૂંક જ સમયમાં સમાધાનની આશા છે.

આ પણ વાંચો- Corona Vaccinationમાં ભારતે અમેરિકાને પાછળ મૂકી બનાવ્યો નવો રેકોર્ડ

સિરમ ઈન્સ્ટિટ્યૂટ (Serum Institute of India) ભારતમાં કોવિશિલ્ડ (Covishield) બનાવી રહી છે

કોવિશિલ્ડ વેક્સિન (Vaccine Covishield)નું ઉત્પાદન વિકાસ ઓક્સફર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાજેનેકા (Oxford University-AstraZeneca)એ કર્યું છે અને તેને પૂણેમાં આવેલી વેક્સિન નિર્માતા કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ભારતમાં બનાવી રહી છે.

આ પણ વાંચો- બાળકો માટેની રસી સપ્ટેમ્બર સુધીમાં થશે તૈયાર

EUએ અત્યાર સુધી એસ્ટ્રાજેનેકા (Astrageneca, ઓક્સફર્ડે (Oxford) બનાવેલી વેક્સજેવરિયા (Vaxzevria)ને માન્યતા આપી

અદાર પૂનાવાલાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે, કોવિશિલ્ડ વેક્સિન (Vaccine Covishield) લેનારા ઘણા ભારતીયોને યુરોપીય સંઘ (European Union to Indians)ની યાત્રાને લઈને સમસ્યા થઈ રહી છે. હું તમામ લોકોને વિશ્વાસ અપાવું છું કે, મે આ મુદ્દાને ઉચ્ચ સ્તર પર ઉઠાવ્યો છે અને આશા છે કે, આ મામલામાં ટૂંક જ સમયમાં નિયામકો અને રાજકીય સ્તર પર નિવારણ લાવવામાં આવશે. યુરોપીય સંઘે (EU) અત્યાર સુધી એસ્ટ્રાજેનેકા (Astrageneca), ઓક્સફર્ડ (Oxford) દ્વારા બનાવવામાં આવેલી વેક્સજેવરિયા (Vaxzevria)ને જ માન્યતા આપી છે. યુરોપીય મેડિકલ એજન્સી (European Medical Agency) દ્વારા મંજૂર અન્ય વેક્સિન બાયોએનટેક-ફાઈઝર (Vaccine Bioentech-Pfizer), મોડર્ના (moderna ) અને જેનસેન (જોનસન એન્ડ જોનસન) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.