ETV Bharat / bharat

Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજારથી વધુ નવા કેસ, 290 મોત

author img

By

Published : Sep 7, 2021, 11:04 AM IST

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 31 હજાર 222 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 290 લોકો મૃત્યુ પામ્યા હતા. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે જાણો...

Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજારથી વધુ નવા કેસ, 290 મોત
Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજારથી વધુ નવા કેસ, 290 મોત

  • છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 31 હજાર 222 નવા કેસ નોંધાયા
  • 290 લોકો મૃત્યુ પામ્યા
  • 42 હજાર 942 લોકો સાજા થયા છે

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસનો ખતરો હજુ સમાપ્ત થયો નથી. હજુ પણ મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 31 હજાર 222 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 290 લોકો મૃત્યુ પામ્યા હતા.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

સાજા થનારા લોકોની સંખ્યા વધીને ત્રણ કરોડ ઉપર

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 42 હજાર 942 લોકો સાજા થયા છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને ત્રણ કરોડ 22 લાખ 24 હજાર 937 થઈ ગઈ છે. તે જ સમયે, હવે સક્રિય કેસ 3 લાખ 92 હજાર 864 પર આવી ગયા છે.

અત્યાર સુધીમાં 4 લાખ 41 હજાર 42 લોકોનાં મોત નીપજ્યાં છે

ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 30 લાખ 58 હજાર 843 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 4 લાખ 41 હજાર 42 લોકોના મોત થયા છે.

રસીના 69 કરોડ 90 લાખ 62 હજાર 776 ડોઝ આપવામાં આવ્યા હતા

જ્યારે અગાઉના દિવસે દેશમાં કોરોના રસીના એક કરોડ 13 લાખ 53 હજાર 571 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીકરણનો કુલ આંકડો 69 કરોડ 90 લાખ 62 હજાર 776 પર પહોંચી ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 15 લાખ 26 હજાર 56 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગઈકાલ સુધી કુલ 53 કરોડ 31 લાખ 89 હજાર 348 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.