ETV Bharat / bharat

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના સંક્રમિત થતા દિલ્હી AIIMSમાં દાખલ કરાયો

author img

By

Published : Apr 27, 2021, 4:17 PM IST

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના સંક્રમિત થતા દિલ્હી AIIMSમાં દાખલ કરાયો
કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના સંક્રમિત થતા દિલ્હી AIIMSમાં દાખલ કરાયો

અંડરવર્લ્ડ ડોન રાજેન્દ્ર નિકલજે ઉર્ફે છાટા રાજન કોરોના સંક્રમિત થયો છે. તિહાડના સહાયક જેલરે અહીંની કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલાની સુનાવણી મામલામાં વીડિયો કોન્ફરન્સથી રાજનને જસ્ટિસ સમક્ષ રજૂ નથી કરી શકતા. કારણ કે, ગેંગસ્ટર છોટા રાજન કોરોના સંક્રમિત થયો છે અને તેને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

  • કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના સંક્રમિત
  • તિહાડ સહાયક જેલરે આ અંગે આપી માહિતી
  • વર્ષ 2015માં ઈન્ડોનેશિયાથી છોટા રાજનની કરાઈ હતી ધરપકડ

મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન રાજેન્દ્ર નિકલજે ઉર્ફે છોટા રાજન કોરોના વાઈરસથી સંક્રમિત થયો છે. તિહાડના સહાયક જેલરે આ અંગે માહિતી આપી હતી. છોટા રાજનને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 61 વર્ષીય છોટા રાજનને વર્ષ 2015માં ઈન્ડોનેશિયાના બાલીથી પ્રત્યાર્પણ પછી પોતાની ધરપકડ પછી દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે.

આ પણ વાંચોઃ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રાજ્ય આપશે નિ:શુલ્ક રસી

છોટા રાજનને કોર્ટ સમક્ષ રજૂ નહીં કરી શકાય

તિહાડના સહાયક જેલરે સોમવારે ફોનના માધ્યમથી સત્ર કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ આ મામલાની સુનાવણી મામલામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી છોટા રાજનને જસ્ટિસ સામે રજૂ નહીં કરી શકે. કારણ કે, છોટા રાજન કોરોના સંક્રમિત હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ પણ વાંચોઃ મહીસાગરમાં 2.71 લાખ નાગરિકોએ કરાવ્યું કોરોના રસીકરણ

દિલ્હીની તિહાડ જેલમાં 2015થી કેદ છે છોટા રાજન

આપને જણાવી દઈએ કે, છોટા રાજન વિવિધ ગુનાઓમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. ઓક્ટોબર 2015માં ઈન્ડોનેશિયાથી પ્રત્યાર્પણ કર્યા બાદથી જ તે જેલમાં કેદ છે. રાજન મહારાષ્ટ્રમાં લગભગ 70 કેસનો આરોપી છે, જેમાં વર્ષ 2011માં પત્રકાર જેડેની હત્યાનો મામલો પણ શામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.