ETV Bharat / bharat

Corona in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,164 કેસ નોંધાયા, 499 લોકોના મોત

author img

By

Published : Jul 19, 2021, 11:29 AM IST

Corona in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,164 કેસ નોંધાયા, 499 લોકોના મોત
Corona in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,164 કેસ નોંધાયા, 499 લોકોના મોત

દેશમાં કોરોનાના કેસ (Corona Cases) સતત ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 38,164 કેસ સામે આવ્યા છે. જ્યારે 499 લોકોના મોત થયા છે. આ પહેલા એક દિવસમાં કોરોનાના 41,157 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 518 લોકોના મોત થયા હતા.

  • દેશમાં કોરોનાના કેસ (Corona Cases) સતત ઘટી રહ્યા છે
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,164 કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવિટી રેટ (Daily positivity rate) વધીને 28 દિવસથી 3 ટકાથી ઓછો છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર (The second wave of the corona) શાંત પડી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,164 કેસ નોંધાયા છે. જ્યારે 499 લોકોના મોત થયા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) સોમવારે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં કોરોના વાઈરસ (Corona Cases)ના કુલ કેસ વધીને 3,11,44,229 થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 4,14,108 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો- Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મૃત્યુ

દેશમાં સાજા થવાનો દર 97.32 ટકા થયો

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય (Union Ministry of Health)ના જણાવ્યાનુસાર, વર્તમાનમાં દેશમાં કોરોનાના 4,21,665 કેસ સક્રિય છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ (Daily positivity rate) 2.61 ટકા છે. અત્યારે દૈનિક પોઝિટિવિટી રેટ (Daily positivity rate) સતત વધીને 28 દિવસથી 3 ટકાથી ઓછો છે. તો દેશમાં સાજા થવાનો દર પણ વધીને 97.32 ટકા થયો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો- ઘટતા જતા કોરોના કેસ વચ્ચે લોકોની ભીડ ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ

દેશમાં 40 કરોડથી વધુ લોકોનું કોરોના રસીકરણ (Corona Vaccination) પૂર્ણ

આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,63,123 લોકોને કોરોનાની વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી છે. આ સાથે જ દેશભરમાં 40,64,81,493 લોકોનું કોરોના વેક્સિનેશન પૂર્ણ થયું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ, ભારતમાં રવિવારે કોરોના વાઈરસ માટે 14,63,593 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલ સુધી કુલ 44,54,22,256 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.