ETV Bharat / bharat

Cong MP Posters On Vande Bharat : કેરળમાં વંદે ભારત ટ્રેન પર કોંગ્રેસ સાંસદના પોસ્ટરો લાગ્યા

author img

By

Published : Apr 26, 2023, 10:07 AM IST

Etv Bharat
Etv Bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળમાં રાજ્યની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તે ટ્રેન પર કોંગ્રેસના સાંસદ વી.કે.શ્રીકંદનના પોસ્ટર લગાવાને લઇને મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળ્યો હતો. શોરાનુર જંકશન પર પહોંચતા જ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન પર પલક્કડ સાંસદના પોસ્ટર દેખાયા હતા.

કેરળ : મંગળવારે શોરાનુર જંક્શન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. ત્યારબાદ વંદે ભારત એક્સપ્રેસ પર કોંગ્રેસના સાંસદ વીકે શ્રીકંદનની પ્રશંસા કરતા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમને ઉત્તરીય જિલ્લા કસરગોડ સાથે જોડે છે. તે કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ ટાઉન, થ્રિસુર, શોરાનુર જંક્શન, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ ખાતે સ્ટોપ કરશે.

આ પણ વાંચો : Vande Bharat: દક્ષિણ ભારતને ફરી એકવાર વંદે ભારત ટ્રેનની ભેટ મળી, PM મોદીએ ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારતને લીલી ઝંડી બતાવી

વંદે ભારત ટ્રેન પર કોંગ્રેસ સાંસદના પોસ્ટર લાગ્યા : ટેલિવિઝન ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વિઝ્યુઅલ્સમાં RPF કર્મચારીઓને શોરનુર જંક્શન પર સ્ટોપેજની ખાતરી કરવામાં તેમની ભૂમિકાની પ્રશંસામાં કેટલાક લોકો દ્વારા ટ્રેન પર ચોંટાડવામાં આવેલ પલક્કડ સાંસદનું પોસ્ટર હટાવતા દર્શાવવામાં આવ્યું હતું. ટ્રેન શોરાનુર સ્ટેશન પર પહોંચી ત્યારે આ ધટના જોવા મળી હતી. ટ્રેનના આગમનને આવકારવા માટે શ્રી શ્રીકંદન અને તેમના સમર્થકો રેલવે સ્ટેશન પર હાજર હતા. આ ઘટનાની નિંદા કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને આરોપ લગાવ્યો કે આ સાંસદના સમર્થકોનું કૃત્ય છે.

  • #WATCH | Congress workers pasted posters of Palakkad MP VK Sreekandan on the windows of a wagon of Vande Bharat Express when the train reached Shoranur in Kerala's Palakkad yesterday. Railway Protection Force has registered a case, investigation underway pic.twitter.com/rgqocYIqid

    — ANI (@ANI) April 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : Vande Bharat Train: રાજકોટમાં વંદે્ ભારત ટ્રેન શરૂ કરવા સાંસદની માગ, કેન્દ્રિય રેલવે પ્રધાનનો સકારાત્મક પ્રતિસાદ

ભાજપે આ ધટનાને લઇને આપ્યો વળતો જવાબ : ફેસબુક પોસ્ટમાં, ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે એક સાંસદ અને તેના અનુયાયીઓ આવા 'ગંદા મન' સાથે કેવી રીતે વર્તન કરી શકે છે. કોંગ્રેસના સાંસદ વી.કે.શ્રીકંદએ કહ્યું કે, તેણે કોઈને ટ્રેનમાં તેના પોસ્ટરો ચોંટાડવા માટે અધિકૃત કર્યા નથી અને આરોપ લગાવ્યો કે ભાજપ જાણીજોઈને તેની સાથે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો : Vande Bharat: રાજસ્થાનની પ્રથમ વંદે ભારતને લીલી ઝંડી આપશે પીએમ મોદી, જાણો મુસાફરીની વિગતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.