ETV Bharat / bharat

PM Modi Beach Photoshoot:  PM મોદી બીચ પર ફોટોશૂટ કરશે, પણ મણિપુર માટે સમય નથી - મલ્લિકાર્જુન ખડગે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 3:00 PM IST

હાલમાં જ પીએમ મોદીના સ્કુબા ડાઈવિંગ કરતા ફોટો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આ મામલે ચાબખા મારતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ પર કટાક્ષ કરતા કહ્યું કે, વડાપ્રધાન પાસે મણિપુર માટે સમય નથી, પરંતુ તેઓ બીચ પર ફોટો સેશન કરાવે છે. Congress attacks PM Modi, PM Modi Beach Photoshoot

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે બપોરે 12 વાગ્યે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકારની ટીકા કરતા પીએમ મોદી પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે અમે સંસદમાં દેશ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સરકારે અમને બોલવા દીધા નહીં.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભારત જોડો ન્યાય યાત્રા દેશના સામાજિક, આર્થિક, રાજકીય અને મૂળભૂત મુદ્દાઓ પર ચલાવવામાં આવી રહી છે. અમે 14 જાન્યુઆરી વિશાળ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા મણિપુરના ઈમ્ફાલથી શરૂ થશે અને નાગાલેન્ડ, આસામ, અરુણાચલ પ્રદેશ થઈને 15 રાજ્યોમાંથી પસાર થશે અને મુંબઈમાં સમાપ્ત થશે.

  • #WATCH | Congress president Mallikarjun Kharge says, "An unfortunate incident occurred in Manipur but PM Modi either went to the beach, had a photo session swimming, went for photos at the ongoing temple construction site or went to Kerala and Mumbai. He goes everywhere, you can… pic.twitter.com/Hzh1watE8e

    — ANI (@ANI) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, મણિપુરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની પરંતુ પીએમ મોદી દરિયાકિનારે ગયા, સ્કુબા ડાઈવિંગનું ફોટો સેશન કર્યું, રામ મંદિર નિર્માણ સ્થળ પર ફોટો પાડવા ગયા અથવા કેરળ અને મુંબઈ ગયા. તેઓ દરેક જગ્યાએ જાય છે. જેમ જાગ્યા બાદ સૌપ્રથમ ભગવાનના 'દર્શન' થાય છે તેમ તમે દરેક જગ્યાએ તેમના ફોટો જોઈ શકો છો. પરંતુ આ મહાન માણસ મણિપુર કેમ ન ગયા ?

  • राहुल गांधी जी के नेतृत्व में हम 14 जनवरी से 'भारत जोड़ो न्याय यात्रा' शुरू कर रहे हैं।

    'भारत जोड़ो न्याय यात्रा' देश के सामाजिक, आर्थिक, राजनीतिक और बुनियादी मुद्दों को लेकर निकाली जा रही है।

    : कांग्रेस अध्यक्ष श्री @kharge pic.twitter.com/HAb20nHlBW

    — Congress (@INCIndia) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, અમે આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સરકારે અમને બોલવાની તક આપી નહીં. રસપ્રદ વાત એ છે કે શાંતિથી બેઠેલા સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દેશના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 28 પક્ષ સાથે મળીને આ મુદ્દાઓને સંસદમાં રજૂ કરવા માંગતા હતા, પરંતુ તેમને બોલવાની તક મળી ન હતી.

પીએમ મોદીએ આ મુદ્દાઓ પર ધ્યાન આપ્યું નહીં. સરકારે આ અંગે ચિંતા વ્યક્ત કરી નથી. આ યાત્રાના માધ્યમથી અમે લોકોને આ તમામ મુદ્દાઓ વિશે જણાવીશું. દરેક વ્યક્તિ યાત્રામાં જોડાશે. આ સરકારમાં મજૂરો માટે કોઈ સ્થાન નથી. તેથી અમે ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. જેથી અમે અમારા વિચારો તેમની સમક્ષ વ્યક્ત કરી શકીએ અને સમાજના દરેક વર્ગને મળી શકીએ અને તેમની વાત સાંભળી શકીએ.

  1. INDIA bloc : 'ઈન્ડિયા બ્લોક' લોકસભા ચૂંટણીમાં 400 બેઠક પર ભાજપને આપશે ટક્કર
  2. Relief to Rahul Gandhi: રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી, જાણો સમગ્ર મામલો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.