ETV Bharat / bharat

CM Yogi Visit to Ayodhya : રામ મંદિર નિર્માણકાર્યની પ્રગતિ વિશે જાણવા અયોધ્યામાં સીએમ યોગી, શું કહ્યું જાણો

author img

By

Published : Apr 1, 2022, 6:22 PM IST

ઉત્તરપ્રદેશ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા (CM Yogi Visit to Ayodhya )પહોંચ્યા હતાં. તેમણે રામજન્મભૂમિ સંકુલમાં રામલલાના દર્શન કરી રામ મંદિર નિર્માણ કાર્યની પ્રગતિની (Ram mandir construction progress ) સમીક્ષા કરી છે.

CM Yogi Visit to Ayodhya :  રામ મંદિર નિર્માણકાર્યની પ્રગતિ વિશે જાણવા અયોધ્યામાં સીએમ યોગી, શું કહ્યું જાણો
CM Yogi Visit to Ayodhya : રામ મંદિર નિર્માણકાર્યની પ્રગતિ વિશે જાણવા અયોધ્યામાં સીએમ યોગી, શું કહ્યું જાણો

અયોધ્યાઃ ઉત્તરપ્રદેશ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા (CM Yogi Visit to Ayodhya )પહોંચ્યા હતાં. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યાના સરયૂ કાંઠાના કિનારે બનેલા અસ્થાયી હેલિપેડ પર ઉતર્યા બાદ રોડ માર્ગે હનુમાનગઢી મંદિર પરિસર પહોંચ્યા હતાં. અહીં તેમણે બજરંગબલીના દર્શન કર્યાં હતાં.બાદમાં તેઓ રામ જન્મભૂમિ પરિસર પહોંચ્યા. અહીં તેમણે રામલલાના દર્શન કર્યાં અને રામ મંદિર નિર્માણ કાર્યની પ્રગતિની (Ram mandir construction progress )સમીક્ષા કરી.

વિધાનસભા ચૂંટણી બીજીવાર જીતી પહેલીવાર અયોધ્યા ગયાં સીએમ યોગી
વિધાનસભા ચૂંટણી બીજીવાર જીતી પહેલીવાર અયોધ્યા ગયાં સીએમ યોગી

ચૂંટણી જીત્યાં બાદ પહોંચ્યાં અયોધ્યા- નોંધનીય છે કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જીતીને બીજીવાર સીએમ બન્યાં બાદ યોગી પ્રથમ વખત અયોધ્યા (CM Yogi Visit to Ayodhya )પહોંચ્યા છે. તેઓ અયોધ્યાના સંતોને મળ્યાં હતાં. અયોધ્યાના બડા ભક્તમાલ મંદિર પરિસરમાં (cm yogi in ayodhya)સંતોએ સીએમ યોગી આદિત્યનાથને માળા પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.. અહીં સીએમ યોગીએ સંતો સાથે અયોધ્યાના વિકાસ (Ram mandir construction progress )પર ચર્ચા કરી.

સીએમ યોગીએ સંતો સાથે અયોધ્યાના વિકાસની ચર્ચા કરી
સીએમ યોગીએ સંતો સાથે અયોધ્યાના વિકાસની ચર્ચા કરી

આ પણ વાંચોઃ '...તો યોગી આદિત્યનાથ બિહાર અને નીતિશ યુપીના સીએમ બનવું જોઈએ': રાબડી દેવી

યોગીના અયોધ્યા કાર્યક્રમો- નવ સંવત્સરના અવસર પર સીએમ યોગી આદિત્યનાથે રામ નગરીના રામ કોર્ટ સંકુલની પરિક્રમાને લીલી ઝંડી બતાવી હતી. આ પછી મુખ્યપ્રધાન યોગીએ અયોધ્યાના વિકાસને લગતી તમામ યોજનાઓ અને 2 એપ્રિલથી શરૂ થનારા ચૈત્ર રામ નવમી મેળા 2022ની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા (Ram mandir construction progress )બેઠક કરી. તેમણે અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા અંગે જરૂરી સૂચનાઓ (CM Yogi Visit to Ayodhya ) આપી હતી.

આ પણ વાંચોઃ શપથ બાદ મુખ્યપ્રધાનની પ્રથમ સૂચના, ઈમાનદારીથી કામ કરો અને તમામ ગતિવિધિઓ પર નજર રાખો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.