ETV Bharat / bharat

શું યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં વિકાસકાર્યોના શિલાન્યાસ આગામી ચૂંટણીમાં ફળશે?

author img

By

Published : Nov 8, 2021, 10:02 AM IST

UP Assembly elections
UP Assembly elections

આગામી યુપી વિધાનસભા ચૂંટણી(UP Assembly elections)ની તૈયારી કરી રહેલી ભાજપે સૌથી પહેલા 'મિશન 84' પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ આ મિશન 84ને આગળ વધારવાની જવાબદારી રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ(CM Yogi Adityanath)ને સોંપવામાં આવી છે. તેમજ આ મિશનની સફળતા પર ઘણું નિર્ભર છે અને તેની ગંભીરતાને પાર્ટીના ટોચના નેતાઓ સારી રીતે સમજી રહ્યા છે.

  • ઉત્તર પ્રદેશમાં ભાજપનો રસ્તો થોડો કઠિન જોવા મળી રહ્યો
  • ભાજપ હોમવર્ક કર્યા બાદ એક્શન પ્લાન સાથે મેદાનમાં ઉતશે
  • જ્યાં પાર્ટીને જીતની આશા નથી ત્યાં કરોડોના પ્રોજેક્ટ અપાઈ રહ્યા છે

હૈદરાબાદઃ ઉત્તર પ્રદેશમાં ભાજપ(BJP in Uttar Pradesh)નો રસ્તો હવે સરળ દેખાઈ રહ્યો નથી. કારણ કે વિપક્ષી પાર્ટીઓ મિનિટે મિનિટે ખામીઓની દીવાલ બાંધવામાં વ્યસ્ત છે અને સાથે જ દરેક મોરચે તેમને ઘેરવામાં પણ વ્યસ્ત છે. આ જ કારણ છે કે હવે ભાજપ પણ પગલાં લઈ રહ્યું છે. જો કે આ તમામ પ્રતિકૂળ સંજોગોમાં પણ ભાજપને હવે 'મિશન 84'થી આશા જાગી છે. આ જ કારણ છે કે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ આ મિશનની જવાબદારી રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ(CM Yogi Adityanath)ને સોંપી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આ મિશન સફળ થશે તો રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં જે બેઠકો હાર મળી હતી ત્યાં કરોડોના પ્રોજેક્ટ

હકીકતમાં, 2017ની વિધાનસભા ચૂંટણી(UP Assembly elections)માં જે બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો, હવે પાર્ટી તે બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં તે બેઠકો જીતી શકાય. આ સાથે જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પોતે પણ હવે જનતા સાથે જનસંપર્ક કરવા તેમજ બેઠકો પર પ્રચાર માટે આગળ આવ્યા છે.

જો પ્રચારની વાત કરીએ તો અત્યારે ભાજપ આ રેસમાં પ્રથમ હરોળમાં છે. આ સાથે હવે પાર્ટીએ માત્ર સંગઠનના સ્ક્રૂને જ કડક બનાવવાનું શરૂ કર્યું નથી, પરંતુ દરેક હોદ્દેદારોને સ્થળાંતર, પ્રવાસો અને પ્રચાર દ્વારા ટોચના નેતાઓને પણ જોડ્યા છે. મુખ્યપ્રધાન વિધાનસભા ક્ષેત્રોમાં વિકાસની ગંગા વહેવા માટે કરોડોના પ્રોજેક્ટ આપી રહ્યા છે જ્યાં પાર્ટી જીત નોંધાવવામાં નિષ્ફળ રહી હતી.

હોમવર્ક પછી સખત મહેનત

ભાજપના રાજકીય વ્યૂહરચના મતે, આગામી યુપી વિધાનસભા ચૂંટણીમાં 350 બેઠકોના લક્ષ્યાંકને પાર કરવા માટે 2017માં જ્યાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો તે બેઠકો પર હોમવર્ક પછી સખત મહેનત જરૂરી છે. આંકડાઓ પર નજર કરીએ તો 84 સીટો ભાજપ પાસે નથી. તેમાં પેટાચૂંટણીમાં ભાજપ હારી ગયેલી બેઠકોનો પણ સમાવેશ થાય છે.જો ઓમપ્રકાશ રાજભરની સુભાસપ સાથે ગઠબંધન તોડવાની વાત કરીએ, તો પણ ભાજપે તે બેઠકો ગુમાવી છે, જે સુભાસપ સાથે હતી.

આ ઉપરાંત ભાજપે 2017માં 384 સીટો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી પાર્ટીએ 312 સીટો પર જીત મેળવી હતી. પરંતુ હવે પાર્ટીએ હારેલી બેઠકો જીતવાની યોજના હેઠળ કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમજ રાજકીય વિશ્લેષક અને પ્રોફેસર લલિત કુચાલિયાના અનુસાર, ભાજપ વ્યક્તિલક્ષી નથી, પરંતુ સંગઠન લક્ષી પક્ષ છે, જે યોજનાબદ્ધ રીતે પાયાના સ્તરે વિસ્તરણ માટે કામ કરે છે. પાર્ટીના રણનીતિકારો એ વાતથી વાકેફ છે કે પાર્ટીએ વર્ષ 2017માં જે બેઠકો જીતી હતી તે તમામ બેઠકો જીતવાની શક્યતાઓ એટલી વધારે નથી.

હવે પાર્ટીએ 'મિશન 84'ને સફળ બનાવવા માટે સંપૂર્ણ વ્યૂહરચના સાથે શરૂઆત કરી છે. અહીં, પ્રદેશ ભાજપના મહાસચિવ અમરપાલ મૌર્યના જણાવ્યા અનુસાર, ભાજપ હંમેશા તમામ બેઠકો પર કામ કરે છે, જે બેઠકો જીતી શકી નથી.

ભાજપનો એક્શન પ્લાન

પાર્ટીના જણાવ્યા અનુસાર, પાર્ટીએ આ બેઠકો માટે અગાઉની યોજના હેઠળ પ્રતિસાદ લીધા પછી જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ અને પદાધિકારીઓને વિસ્તારના લોકો સાથે સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ વિસ્તારોમાં કઈ કઈ યોજનાઓ છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને જેનો શિલાન્યાસ કે ઉદ્ઘાટન થઈ શકે છે.

આ ઉપરાંત કેન્દ્રના કર અધિકારીઓ વિસ્તાર મુજબની સમસ્યાઓ અને જરૂરિયાતોનો અહેવાલ તૈયાર કરી રહ્યા છે અને તેને સીધો મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહને મોકલી રહ્યા છે અને આ અહેવાલોના આધારે, શિલાન્યાસની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ લખીમપુર ખેરી હિંસા સંબંધિત મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે

આ પણ વાંચોઃ T20 WORLD CUP 2021: ન્યૂઝીલેન્ડની અફઘાનિસ્તાન સામે જીત, ભારતનું સપનું રોળાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.