ETV Bharat / bharat

અવિવાહિત મહિલાના પુત્ર પાછળ માતાના નામનો ઉલ્લેખ કરવાની હાઈકોર્ટે આપી મંજૂરી

author img

By

Published : Jul 26, 2022, 11:05 AM IST

અપરિણીત માતાઓ અને દુષ્કર્મ પીડિતાના (Allowed Mothers Name In Documents To Son Of Unmarried Woman) બાળકો આ દેશમાં ગોપનીયતા, સ્વતંત્રતા અને ગૌરવના મૂળભૂત અધિકારો સાથે જીવી શકે છે. આ ટિપ્પણી કરતા, કેરળ હાઈકોર્ટે (Kerala High Court) એક વ્યક્તિને સત્તાવાર દસ્તાવેજોમાં ફક્ત તેની માતાનું નામ શામેલ કરવાની મંજૂરી આપી છે.

કેરળ હાઈકોર્ટે અવિવાહિત મહિલાના પુત્રને દસ્તાવેજોમાં માત્ર માતાના નામનો ઉલ્લેખ કરવાની આપી મંજૂરી
કેરળ હાઈકોર્ટે અવિવાહિત મહિલાના પુત્રને દસ્તાવેજોમાં માત્ર માતાના નામનો ઉલ્લેખ કરવાની આપી મંજૂરી

કોચી: કેરળ હાઈકોર્ટે (Kerala High Court) કહ્યું કે, અપરિણીત માતાઓ અને દુષ્કર્મ પીડિતાના (Allowed Mothers Name In Documents To Son Of Unmarried Woman) બાળકો આ દેશમાં ગોપનીયતા, સ્વતંત્રતા અને ગૌરવના મૂળભૂત અધિકારો સાથે જીવી શકે છે. કોર્ટે વ્યક્તિને જન્મ પ્રમાણપત્ર, ઓળખના પુરાવા અને અન્ય દસ્તાવેજોમાં ફક્ત તેની માતાનું નામ શામેલ કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: વીસ વર્ષ પહેલા પોતાના માટે બનાવી હતી કબર, અંતિમ ક્રિયા ત્યાંજ કરવામાં આવી

અપરિણીત માતાનું બાળક આ દેશનું નાગરિક છે : ન્યાયાધીશ પીવી કુન્હીક્રિષ્નને 19 જુલાઈના રોજ જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, અપરિણીત માતાનું બાળક પણ આ દેશનું નાગરિક છે અને બંધારણ હેઠળ ખાતરી આપવામાં આવેલા તેના કોઈપણ મૂળભૂત અધિકારોનું કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "અવિવાહિત માતાઓના બાળકો અને દુષ્કર્મ પીડિતાના બાળકો પણ આ દેશમાં ગોપનીયતા, સ્વતંત્રતા અને ગૌરવના મૂળભૂત અધિકારો સાથે રહી શકે છે. ભારતની બંધારણીય અદાલત તેમના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરશે."

માતાના નામ સાથે સિંગલ પેરેન્ટ તરીકેનું પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપ્યો : અરજદારની માતા અપરિણીત હતી. તેના ત્રણ દસ્તાવેજોમાં અરજદારના પિતાનું નામ અલગ હતું. કોર્ટે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રારની ઓફિસને અરજદારના સંબંધમાં જન્મ રજીસ્ટરમાંથી પિતાનું નામ કાઢી નાખવા અને માત્ર માતાના નામ સાથે સિંગલ પેરેન્ટ તરીકેનું પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, તે માત્ર અપરિણીત માતા જ નથી, પરંતુ આ મહાન દેશ ભારતનું સંતાન છે.

નવા યુગનો કર્ણ અન્ય નાગરિકોની જેમ ગૌરવ સાથે જીવી શકે છે : કોર્ટે એમ પણ કહ્યું કે, રાજ્યએ તેની ઓળખ અને ગોપનીયતા જાહેર કર્યા વિના અન્ય નાગરિકોની જેમ તેની સુરક્ષા કરવી જોઈએ. "અન્યથા, તેણે અકલ્પનીય માનસિક યાતનાનો સામનો કરવો પડશે." જસ્ટિસ કુન્હીક્રિષ્નને કહ્યું કે, “અમે એવો સમાજ ઈચ્છીએ છીએ જેમાં કર્ણ જેવા પાત્રો ન હોય, જે પોતાના માતા-પિતાનું ઠેકાણું ન જાણતા હોવાના કારણે તેમના જીવનને ધિક્કારતા હોય. આપણું બંધારણ અને બંધારણીય અદાલત તે બધાનું રક્ષણ કરશે અને નવા યુગનો કર્ણ અન્ય નાગરિકોની જેમ ગૌરવ અને ગૌરવ સાથે જીવી શકે છે."

આ પણ વાંચો: તેલંગાણાએ કોવિડ બૂસ્ટર ડોઝ આપવા માટે 'ડોર-ટુ-ડોર' બનાવી યોજના

કોર્ટે જનરલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ : કોર્ટે જનરલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI), ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, પાસપોર્ટ ઓફિસર, ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા અને સ્ટેટ ઈલેક્શન કમિશનને અરજદારના પિતાનું નામ અધિકારી રેકોર્ડ્સ અને ડેટાબેઝમાંથી કાઢી નાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.