ETV Bharat / bharat

BJP Leader Murder Case: હિંદુ સંગઠનો કાઢશે મૃતદેહનું સરઘસ, ત્રણ તાલુકામાં બંધનું એલાન

author img

By

Published : Jul 27, 2022, 5:00 PM IST

BJP Leader Murder Case: હિંદુ સંગઠનો કાઢશે મૃતદેહનું સરઘસ, ત્રણ તાલુકામાં બંધનું એલાન
BJP Leader Murder Case: હિંદુ સંગઠનો કાઢશે મૃતદેહનું સરઘસ, ત્રણ તાલુકામાં બંધનું એલાન

દક્ષિણ કન્નડ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં બીજેપી યુવા મોરચાના જિલ્લા નેતા પ્રવીણ નેટ્ટારુની હત્યા કેસ (BJP Leader Murder Case) બાદ તણાવ ઉભો થયો છે. સાવચેતીના પગલા તરીકે, પોલીસે સુલ્યા, કડાબા અને પુત્તુર તાલુકામાં કડક સુરક્ષા ગોઠવી છે.

સુલ્યા (દક્ષિણ કન્નડ): મંગળવારે દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારે નજીક નેટ્ટારુમાં લોકોના જૂથ દ્વારા કરાયેલા ગંભીર હુમલા બાદ BJP યુવા મોરચાના નેતા પ્રવીણ (32)નું મૃત્યુ થયું હતું. દક્ષિણ કન્નડ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં બીજેપી યુવા મોરચાના જિલ્લા નેતાની હત્યા (BJP Leader Murder Case) બાદ તણાવ ઉભો થયો છે. સાવચેતીના પગલા તરીકે, પોલીસે સુલ્યા, કડાબા અને પુત્તુર તાલુકામાં કડક સુરક્ષા ગોઠવી છે.

બીજેપી યુવા મોરચાના જિલ્લા નેતા પ્રવીણ નેટ્ટારુ
બીજેપી યુવા મોરચાના જિલ્લા નેતા પ્રવીણ નેટ્ટારુ

આ પણ વાંચો: મોંઘવારી અને બેરોજગારી પર સવાલ ઉઠાવનારા સાંસદોને રાજાએ સસ્પેન્ડ કર્યા: રાહુલ ગાંધી

પ્રવીણના સંબંધીઓ અને હિંદુ તરફી સંગઠનોના કાર્યકર્તાઓ જેઓ મંગળવારે રાત્રે પુત્તુરુ હોસ્પિટલની સામે એકઠા થયા હતા, તેઓએ આગ્રહ કર્યો કે જ્યાં સુધી દક્ષિણ કન્નડ જિલ્લા કલેક્ટર સ્થળ પર ન આવે ત્યાં સુધી તેઓ મૃતદેહને લઈ જવા દેશે નહીં. પોલીસ અધિક્ષક ઋષિકેશ સોનાનવન, પુત્તુર સહાયક કમિશનર ગિરીશ નંદન પહોંચ્યા અને દેખાવકારોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થઈ નહીં.

આ પણ વાંચો: 'ચિકન પોતે ફ્રાય થવા આવ્યું', સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

મોડી રાત્રે લગભગ 1.30 AM જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી. પહોંચ્યા અને સંબંધીઓ તેમજ કાર્યકરો સાથે વાત કરી કહ્યુ કે, 'આરોપીની ધરપકડ કરવામાં આવશે અને તેમને સખત સજા આપવામાં આવશે. પોલીસ વિભાગ પહેલેથી જ તપાસ કરી રહ્યું છે. મૃતકના પરિવારને વળતરની વિનંતી પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે' ડીસી રાજેન્દ્રએ જિલ્લામાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી. ડીસીએ આપેલા વચન બાદ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

હિંદુ સંગઠનો કાઢશે મૃતદેહનું સરઘસ
હિંદુ સંગઠનો કાઢશે મૃતદેહનું સરઘસ

મૃતદેહનું સરઘસ: પ્રવીણના મૃતદેહને પ્રગતિ હોસ્પિટલ, પુત્તુરમાંથી પુત્તુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હિંદુ સંગઠનો અને પરિવારના સભ્યોએ પ્રવીણના મૃતદેહને પુત્તુર શહેરમાંથી શબ શોભાયાત્રા (Hindu organizations decided for body procession) દ્વારા બેલ્લારે લઈ જવાનો નિર્ણય કર્યો છે.

બંધનું એલાન: બીજી તરફ, હિંદુત્વવાદી સંગઠનોએ પુત્તુર, સુલ્યા અને કડાબા તાલુકામાં બંધનું એલાન (bandh called in three taluks) આપ્યું છે. પોલીસે સાવચેતી રાખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ઘટનાસ્થળે જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ભગવાન સોનાવન, ડીવાયએસપી ડૉ. ગણ પી. કુમાર, ગ્રામીણ સર્કલ ઇન્સ્પેક્ટર ઉમેશ ઉપપાલિકા અને સુલ્યા, કડાબા બેલ્લારે પોલીસ.

પથ્થરમારોઃ બુધવારે સવારે પુત્તુરના બોલુવારીમાં સરકારી બસ પર પથ્થરમારો (Stone pelting on a bus ) કરવાની ઘટના બની હતી. આ ઘટના પ્રવીણની હત્યા બાદ બની હતી. મેંગલોર જઈ રહેલી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.