Bipin Rawat chopper Crash: વાયુ સેનાના ચીફ વી. આર. ચૌધરી ઘટનાસ્થળે પહોંચ્યા

author img

By

Published : Dec 9, 2021, 9:53 AM IST

Updated : Dec 9, 2021, 10:24 AM IST

Bipin Rawat chopper Crash: વાયુ સેનાના ચીફ વી. આર. ચૌધરી ઘટનાસ્થળે પહોંચ્યા

ભારતીય વાયુ સેનાના પ્રમુખ (IAF chief) એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી (Air Chief Marshal VR Chaudhari) તમિલનાડુના કુન્નુરમાં ઘટનાસ્થળે પહોંચ્યા છે.

  • ભારતીય વાયુ સેનાના ચીફ વી. આર. ચૌધરી તમિલનાડુ પહોંચ્યા
  • વાયુ સેનાના ચીફ હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું તે ઘટનાસ્થળે પહોંચ્યા
  • વાયુ સેનાના ચીફ દુર્ઘટના અંગે જાણકારી મેળવી

ચેન્નઈઃ ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat)નું બુધવારે તમિલનાડુના કુન્નુરમાં વિમાન દુર્ઘટનામાં (Bipin Rawat chopper Crash) નિધન થયું હતું. આ દુર્ઘટનામાં તેમના પત્ની સહિત 12 લોગોનું પણ નિધન થયું હતું. જોકે, આજે (ગુરુવારે) ભારતીય વાયુ સેનાના પ્રમુખ (IAF chief) એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી (Air Chief Marshal VR Chaudhari) તમિલનાડુના કુન્નુરમાં ઘટનાસ્થળે પહોંચ્યા છે.

  • #WATCH | IAF chief Air Chief Marshal VR Chaudhari reaches the chopper crash site near Coonoor in Nilgiris district of Tamil Nadu

    13 people including CDS General Bipin Rawat and his wife lost their lives in the accident on Wednesday. pic.twitter.com/djgoBu6Y4B

    — ANI (@ANI) December 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- EXCLUSIVE Chopper Crash Video: CDS બિપિન રાઉતના હેલિકોપ્ટર ક્રેશ સમય પહેલાની ઘટના કેમેરામાં થઈ કેદ

વાયુ સેના પ્રમુખ બુધવારે જ પાલમથી તમિલનાડુ માટે થયા હતા રવાના

નીલગિરિ જિલ્લામાં કુન્નુરની પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાસ્થળની (Indian Air Force Chief V. R. Chaudhary reached the spot ) મુલાકાતે પહોંચેલા વાયુ સેનાના પ્રમુખની સાથે તમિલનાડુના ડીજીપી સી. સિલેન્દ્ર બાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે દુર્ઘટના અંગે જાણકારી મેળવી હતી. વાયુ સેનાના પ્રમુખ બુધવારે જ પાલમથી તમિલનાડુ માટે રવાના થઈ ગયા હતા.

બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય તમામ 11 લોકોના પાર્થિવ દેહ આજે દિલ્હી લવાશે

જાણવા મળી રહ્યું છે કે, જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat), તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય તમામ 11 લોકોના પાર્થિવ દેહ તમિલનાડુથી આજે સૈન્ય વિમાનમાં દિલ્હી લાવશે. શુક્રવારે પતિ-પત્નીના મૃતદેહને ઘરે લાવવામાં આવશે અને લોકોને સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અંતિમ દર્શન કરવાની મંજૂરી હશે.

આ પણ વાંચોઃ Air Crashes in India: માત્ર બિપિન રાવત જ નહીં, ભારતની અનેક હસ્તીઓએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા

શુક્રવારે દિલ્હી છાવણીમાં કરાશે અંતિમ સંસ્કાર

ત્યારબાદ કામરાજ માર્ગથી દિલ્હી કેન્ટોન્મેન્ટના બરાડ ચાર રસ્તા સ્મશાન ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા યોજાશે. બંનેના અંતિમ સંસ્કાર શુક્રવારે દિલ્હી છાવણીમાં (Funeral of Bipin Rawat at Delhi Camp) કરવાની વાત કહેવામાં આવી છે. અંતિમ સંસ્કાર માટે તેમની નાની બહેન અને ભાઈ પણ ઉપસ્થિત રહેશે. તો આજે (ગુરુવારે) સંસદના શિયાળા સત્રમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગૃહમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટનાની જાણકારી આપશે.

Last Updated :Dec 9, 2021, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.