વિશ્વ જમીન દિવસ- ધોવાણ પામેલી જમીનથી ભારતમાં ખાદ્ય સુરક્ષા સામે પડકાર

author img

By

Published : Jan 10, 2020, 6:44 PM IST

Soil erosion
જમીન ધોવાણ ()

ભારત જમીન ધોવાણની વધતી જતી કટોકટીનો સામનો કરી રહ્યું છે. ભારતની જમીનના ક્ષેત્રફળનો 30 ટકા (9.6 કરોડ હૅક્ટર) ભાગ વનોન્મૂલન, વધુ પડતી ખેતી, જમીનનું ક્ષારણ અને આદ્રભૂમિની ક્ષીણતા જેવાં અનેક પરિબળોના કારણે ધોવાણ પામી રહ્યો છે. આ જમીનનો ક્ષય તેના પાક ઉત્પાદનને અસર કરીને, માત્ર ભારતનું સકળ ઘરેલુ ઉત્પાદનને દર વર્ષે 2.5 ટકા ભાગને નથી ખાઈ જઈ રહ્યો, પરંતુ દેશમાં આબોહવા પરિવર્તન વધારી રહ્યો છે અને તેના કારણે પાછું વધુ ધોવાણ થાય છે.

વન આબોહવા પરિવર્તનને નિયંત્રિત કરવા માટે સૌથી અગત્યના ઉકેલો પૈકીના એક છે. પરંતુ ભારતે વર્ષ 2018 સુધીમાં 18 વર્ષમાં 16 લાખ હૅક્ટર વન આવરણ ગુમાવી દીધું છે. સરકારે વર્ષ 2015 સુધીમાં પાંચ વર્ષમાં 1 કરોડ વૃક્ષોનું છેદન થવા દીધું હતું. ભારતના સુરક્ષિત વિસ્તારો અને પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્રોમાં 500થી વધુ પ્રૉજેક્ટો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાની (NDA) સરકારના જૂન 2014થી 2018 દરમિયાન પ્રથમ ચાર વર્ષમાં રાષ્ટ્રીય વન્યજીવન બૉર્ડ દ્વારા મંજૂર કરાયા હતા. તેની સરખામણીએ તે અગાઉની સંયુક્ત પ્રગતિશીલ મોરચા (UPA) સરકારે વર્ષ 2009થી 2013 દરમિયાન 260 પ્રૉજેક્ટ મંજૂર કર્યા હતા.

જો આ જ ઢબે ચીજો ચાલુ રહી તો ભારતમાં કુલ ખેડૂતોના 80 ટકા કે જે નાના અને સીમાંત ખેડૂતો છે તેમને નજીકના ભવિષ્યમાં બહુ જ ખરાબ અસર થશે. સંયુક્ત રાષ્ટ્રોના આંકડા પ્રમાણે, દૂધ, કઠોળ અને શણમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને ચોખા, ઘઉં, શેરડી, મગફળી, શાકભાજી, ફળ અને કપાસમાં વિશ્વના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે સ્થાન પામતા ભારત જેવા કૃષિ પ્રધાન અર્થતંત્રમાં ખાદ્ય સુરક્ષાનું જોખમ ઊભું થશે. જમીન ક્ષારણ અને તેના પરિણામે થનાર આબોહવા પરિવર્તનના લીધે પશુધનના વિકાસ ઉને ઉત્પાદકતા પર પણ અસર થશે. આ બીજા કોઈએ નહીં પરંતુ આબોહવા પરિવર્તન પર આંતરસરકાર પેનલ (IPCC) કે જે સંયુક્ત રાષ્ટ્રોની આંતર સરકાર સંસ્થા છે તેણે આબોહવા પરિવર્તનનો અભ્યાસ કરીને કહ્યું હતું. વન આવરણની નુકસાનીથી ભારત વાર્ષિક રીતે તેના જીડીપીના 1.4 ટકા જેટલી નુકસાનીનો સામનો કરે છે, તેમ દિલ્હી સ્થિત એનજીઓ ઊર્જા અને સંસાધન સંસ્થાન (ટેરી)એ કરેલા અભ્યાસમાં કહેવાયું છે. આબોહવા પરિવર્તનના મહત્ત્વના પ્રશ્નનો સામનો કરતા ભારત જેવા દેશમાં જમીનના ધોવાણના કારણે ગ્રીનહાઉસ વાયુ (GHG) કાર્બન ડાયૉક્સાઇડ (CO2)ને શોષવાની તેની ક્ષમતા પણ ગુમાવશે. આ વાયુ વૈશ્વિક ઉષ્ણતા બગાડવા માટે મહત્ત્વનું પરિબળ છે. પૃથ્વી પર 10 લાખ પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. આનાથી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પર જોખમ છે જેનું મોટું કારણ નિવાસસ્થાન ગુમાવવું અને જમીન ધોવાણ કરવું તે છે.

ભારત સરકારે સમજ્યું છે કે આદિવાસીઓ અને અન્ય સ્વદેશી લોકો જેમની પાસે સ્થાનિક પર્યાવરણ પ્રણાલિનું જ્ઞાન છે તેઓ વનની રક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. નિર્ણય લેવામાં અને પ્રશાસનમાં તેમની સહભાગિતાથી પર્યાવરણ પ્રણાલિ રક્ષવામાં મદદ મળશે. આ પ્રણાલિમાં જમીન ક્ષારણથી રક્ષા, વનની રક્ષા અને આ રીતે આબોહવા પરિવર્તન સામેના ફેરફારોને ઉત્તેજનનો સમાવેશ થાય છે. વર્ષ 2006માં પસાર કરાયેલો વન અધિકાર અધિનિયમ આબોહવા કાર્યોનું નિયંત્રણ કરવામાં ઉત્કૃષ્ટ સાધન હોઈ શકે કારણકે કાયદો આદિવાસીઓ અને અન્ય પરંપરાગત વનવાસીઓના વન્ય જમીન અને કુદરતી સંસાધનો, જેનો તેઓ અનેક પેઢીઓથી ઉપયોગ કરતા આવ્યા છે, તેમાં પ્રવેશ, તેના પ્રબંધન, તેની રક્ષા અને તેના પ્રશાસનના અધિકારોને માન્યતા આપે છે. પરંતુ એફઆરએ હેઠળ અધિકારોની માન્યતાની પ્રક્રિયા ઘણી ધીમી છે. સરકાર 30 એપ્રિલ 2019ની સ્થિતિએ 1.293 કરોડ હૅક્ટર વન પર એફઆરએ દાવાનું સમાધાન કરવા સફળ રહી છે. જ્યારે દેશભરમાં સંભવિત 4 કરોડ હૅક્ટર વન્યજમીન છે. આ ઉપરાંત, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલા એક કેસમાં જેમના એફઆરએ દાવાઓ નકારાયા છે તેવા 20 લાખ વનવાસીઓનો અધિકાર લઈ લેવા જોખમ ઊભું થયું છે. હાલમાં 21 રાજ્ય સરકારો અસ્વીકારાયેલા તમામ દાવાઓની સમીક્ષા કરવાની પ્રક્રિયામાં છે.

ભારતમાં ક્ષાર અને ખરાબ હવામાન ઘટનાઓ તેમજ અન્ય માનવ પ્રવૃત્તિઓના કારણે જળ અને પાણીમાં જે બગાડ આવ્યો છે તેના લીધે જમીનના ધોવાણથી રૂ. 72 હજાર કરોડનું નુકસાન ગયું છે જે વર્ષ 2018-19માં રૂ. 58 હજાર કરોડના કૃષિ અંદાજપત્ર કરતાં વધુ હતું તેમ ‘ટેરી’નો અભ્યાસ કહે છે. આ મુદ્દો ભારત માટે પ્રાસંગિક છે કારણકે ભારત તેની વધતી જતી વસતિને ખોરાક આપવા સંઘર્ષ કરી રહ્યું છે. વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં 119 દેશોની યાદીમાં ભારત વર્ષ 2017માં 103મા ક્રમે આવ્યું હતું જે વર્ષ 2017માં 100મા ક્રમેથી ત્રણ પગથિયાં નીચે હતું.


ભારતની આદ્રભૂમિ 1 લાખ 52 હજાર 600 ચો. કિમી છે. જે દેશના ભૌગોલિક ક્ષેત્રફળના પાંચ ટકા અને આસામના કદ કરતાં બમણી છે. પરંતુ વનોન્મૂલન, આબોહવા પરિવર્તન, પાણીનો નિકાલ, જમીન પર ગેરકાયદે કબજો અને શહેરી વિકાસના લીધે આ આદ્ર જમીન ધોવાઈ રહી છે. દર વર્ષે કુલ ક્ષેત્રફળની બેથી ત્રણ ટકા જમીન દેશભરમાં ધોવાઈ રહી છે. ભારતના પશ્ચિમ કિનારે લગભગ 40 ટકા મેન્ગ્રૉવ જંગલો છેલ્લા ત્રણ દાયકાઓમાં ખેતીની જમીન અને રહેણાક વિસ્તારોમાં રૂપાંતરિત થઈ ગયાં છે. વૈશ્વિક ઉષ્ણતાની સામેની લડાઈમાં આદ્ર જમીન મહત્ત્વની છે કારણકે તેઓ ઉચ્ચ કાર્બન પર્યાવરણ પ્રણાલિનું સંરક્ષણ કરે છે. જે મોટા પ્રમાણમાં કાર્બનને ઝડપથી શોષી લે છે. ભારતે આદ્ર જમીનને પુનઃસ્થાપિત કરવા અને ધોવાઈ ગયેલી જમીનને પુનઃ પ્રાપ્ત કરવા કોઈ નક્કર પગલાં નથી લીધાં. તટીય નિયમનકારી ક્ષેત્ર જે ભારતના કોમળ વન્યજીવનની એક માત્ર સુરક્ષા પ્રણાલિ છે, તેના જાહેરનામા, 2018માં છૂટછાટોથી રિયલ્ટર (બાંધકામ કરનાર) દ્વારા મોટા પાયે વિકાસના પ્રૉજેક્ટ માટે ખુલી ગયાં છે. જો તટીય નિયમકારી ક્ષેત્ર જાહેરનામા, 2018માં સૂચિબદ્ધ નિયમનોનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો તટીય ક્ષેત્રો અને દુર્બળ વન્યજીવનની રક્ષા થઈ શકે છે.


વૈશ્વિક ઉષ્ણતામાં વધારો એ ભારત માટે બીજો સૌથી મોટો પડકાર છે કારણકે ભારતનો 69 ટકા ભૌગોલિક વિસ્તાર સૂકો પ્રદેશ છે જેમાં ઉજ્જડ, અર્ધ ઉજ્જડ અને સૂકો અર્ધ આદ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સૂકા પ્રદેશની વસતિને પાણીના તણાવનની સમસ્યા નડતી હોય છે અને વર્ષ 2050 સુધીમાં સૌથી આદર્શ સ્થિતિ 1.5 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતા પણ વધે તો પણ દુષ્કાળની તીવ્રતા હજ પણ વધવાની આગાહી છે. 60 કરોડ લોકો પાણી સંબંધે અતિથી ઊંચો તણાવ અનુભવી રહ્યા છે. જે દેશની અડધી વસતિ છે, ત્યારે આઈપીસીસીનાં તારણો મુજબ, ભારતમાં જેટલો વાર્ષિક વરસાદ પડે છે તેનાથી લગભગ અડધો જ વરસાદ જે દેશોમાં પડે છે તે દેશોની સાથે ભારત વિશ્વમાં 17મો સૌથી વધુ પાણીના તણાવવાળો દેશ છે.


દિલ્હી ઘોષણાપત્ર: તાજેતરમાં દિલ્હીમાં સંપન્ન સંયુક્ત રાષ્ટ્રોનું રણીકરણ સામે લડવાનું સંમેલન (યુએનસીસીડી)માં પક્ષકારોની પરિષદ (સીઓપી-14)ની 14મી આવૃત્તિમાં રાષ્ટ્રોને સમુદાયો અને રાષ્ટ્રો વચ્ચે તણાવ ઘટાડવા અને વિશ્વાસનું નિર્માણ કરવા વિશ્વના સંઘર્ષયુક્ત સરહદી વિસ્તારોમાં ધોવાઈ ગયેલી જમીનનો પુનઃદાવો કરવા સરહદે શાંતિ વન પહેલને અપનાવવા અનુરોધ કરાયો હતો. બેઠકમાં સભ્ય દેશો કાર્ય માટે રાષ્ટ્રીય લક્ષ્યાંક તરીકે વર્ષ 2030 સુધીમાં જમીન ધોવાણ તટસ્થતા પ્રાપ્ત કરવા માટે ટકાઉ વિકાસ લક્ષ્ય બનાવવા માટે પણ સંમત થયા હતા.


સીઓપી-14માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનસીસીડીના સભ્ય દેશો માટે જમીન ધોવાણ તટસ્થતા લક્ષ્ય નિર્ધારિત કરતા કાર્યક્રમના સંદર્ભમાં તેમની ક્ષમતા નિર્માણ કરવા અને સહાય આપવા માટે વૈશ્વિક ટૅક્નિકલ સહાય સંસ્થાન રચવા દરખાસ્ત કરી છે. ભારતે વૈશ્વિક જળ કાર્ય એજન્ડા, જે જમીન ધોવાણ તટસ્થતા રણનીતિમાં કેન્દ્ર સ્થાને છે, તેના પર વિચારવા યુએનસીસીડીના નેતૃત્વને અનુરોધ કર્યો છે. ભારતે વર્ષ 2030 સુધીમાં કુલ 9.64 કરોડ હૅક્ટર ધોવાઈ ગયેલી જમીનમાંથી અંદાજે ઓછામાં ઓછી 3 કરોડ હૅક્ટર ધોવાઈ ગયેલી ઉજ્જડ જમીન વન્ય અને ખેતીની જમીનનું વધુ ધોવાણ અટકાવવા અને પુનર્વસન કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

- નીરજ કુમાર

Intro:Body:

Blank news 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.