ETV Bharat / bharat

શું કામ ઠાર કરાયા નરાધમો? એન્કાઉન્ટર મેન કમિશનર સજ્જનારે જણાવ્યું કારણ

author img

By

Published : Dec 6, 2019, 5:14 PM IST

Updated : Dec 6, 2019, 7:38 PM IST

હૈદરાબાદઃ સાઇબરાબાદ પોલીસે હૈદરાબાદ એન્કાઉન્ટરમાં અનેક ઘટસ્ફોટ કર્યા છે. સાઈબરાબાદ પોલીસ કમિશનર વી. સજ્જનાર જણાવ્યું હતું કે, શુક્રવારે અમે આરોપીને ગુનાના સ્થળે સીન રીક્રિએટ કરવા લાવ્યા હતા. જે દરમિયાન બે આરોપી આરીફ અને ચિન્નકેશવલુ પોલીસ પાસેથી બે હથિયારો લઈ ગયા હતા. આ પછી પોલીસે આરોપીઓને ચેતવણી આપી હતી, પરંતુ તેઓએ પોલીસ ટીમ પર જ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જવાબી કાર્યવાહીમાં ચાર આરોપીઓ માર્યા ગયા હતા. સજ્જનારે કહ્યું કે, આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત ASI અને કોન્સ્ટેબલની સારવાર મહેબૂબનગર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

Cyberabad Police Commissioner CV Sajjanar
સાઈબરાબાદ પોલીસ કમિશનર વી સજ્જનાર

કમિશનર વી સજ્જનારે જણાવ્યું હતું કે, 27-28 નવેમ્બરની રાત્રે મહિલા ડૉકટર પર ગેંગરેપ થયો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ પછી, શરીર સળગાવવામાં આવ્યું હતું. અમે સાઈનટીફિક પુરાવા ભેગા કર્યા અને નારાયણપેટમાંથી ચારેય આરોપીની ધરપકડ કરી હતી. આ પછી આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા.

સાઈબરાબાદ પોલીસ કમિશનર વી સજ્જનાર

શુક્રવારે 10 પોલીસ કર્મીઓ દ્વારા આરોપીઓને સીન રીક્રિએટ માટે લવાયા હતા તે સમયે ચાર પૈકી બે આરોપીઓએ પોલીસના બે હથીયાર ઝુટવી લીધા હતા. જે બાદ પોલીસે આરોપીઓને ચેતવણી આપી હતી, પરંતુ તેઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી હતી.

પત્રકાર પરિષદ કરતી વખતે પોલીસ કમિશનર વી. સજ્જનારે કહ્યું કે, 4 અને 5 ડિસેમ્બરે અમે ચારે આરોપીઓની પૂછપરછ કરી. આ પૂછપરછ દરમિયાન આરોપીએ મોબાઈલ, પાવર બેંક અને વોચ વિશે જણાવ્યું હતું. અમે આરોપીને આ વસ્તુઓ મેળવવા અને ગુનાનું સીન રીક્રિએટ કરવા સ્થળ પર લઈ ગયા હતા.

પોલીસ કમિશનરે કહ્યું કે, ચારેય આરોપીઓને હાથકડી નહોતી. આ કારણે ચારેય આરોપીઓએ પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી હતી. આ પછી, તે દોડવા લાગ્યો. પહેલા અમે તેમને ચેતવણી આપી, પરંતુ તેઓએ તેનાથી વિરુદ્ધ ફાયરિંગ શરૂ કરી દીધી. આ પછી પોલીસકર્મીઓએ ફાયરિંગ કરી હતી. સવારે 5..45 થી સવારે 6 વાગ્યાની વચ્ચે 15 મિનિટ સુધી ચાલી રહેલી મુઠભેડમાં ચારેય આરોપીઓ માર્યા ગયા હતા.

એન્કાઉન્ટર દરમિયાન બે પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા છે. તેમાં એક સબ ઇન્સપેક્ટર અને એક કોન્સ્ટેબલ સામેલ છે. આરોપીઓની ડેડબોડી પોસ્ટ મોર્ટમ માટે મહબૂબનગર હોસ્પિટલમાં મોકલી આપી છે.

માનવાધિકાર આયોગની નોટિસ પર સજ્જનરે કહ્યું હતું કે, અમે આનો જવાબ આપીશું, રાજ્ય સરકાર, એનએચઆરસી તમામને યોગ્ય જવાબ આપવામાં આવશે.

Last Updated : Dec 6, 2019, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.