આ અરજીમાં સાથે સાથે એવી પણ માગ કરાઈ છે કે, ઘાટીના વિસ્તારોમાં ઈન્ટરનેટની સેવા તથા દૂરસંચારની સેવા બંધ કરવાની સામે પણ સવાલો ઊભા કરી આ બાબતે થોડી ઢીલ રાખવા ભલામણ કરાઈ છે.
ઉપરાંત મીડિયાની આઝાદી નક્કી કરવા બાબતે ફોટો જર્નાલિસ્ટ/પત્રકારોની આવન-જાવન પર ત્તાત્કાલિક ધોરણે તેમને છૂટ આપવાની વાત કરવામાં આવી છે.
આ અરજીકર્તાના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવાયું છે કે, ઈન્ટરનેટ સેવા બંધ રહેતા તેમના અખબારની પ્રિન્ટ તથા અખબાર સમયસર પ્રકાશિત કરી શક્યા નહોતા. જેને લઈ મીડિયાની આઝાદી પર સવાલો ઊભા કર્યા હતા.
અરજીકર્તાનું કહેવું છે કે, આ પ્રકારના પ્રતિબંધોથી પત્રકારોના અધિકારોનું હનન થાય છે, જે તેને સંવિધાનના અનુચ્છેદ 14 અંતર્ગત પ્રાપ્ત થયા છે. તેમને એ જાણવાનો પૂરેપુરો અધિકાર છે કે, ઘાટીમાં શું થઈ રહ્યું છે.
અરજીકર્તાએ સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે, જ્યારે કાશ્મીરમાં આવો મોટો નિર્ણય લેવામાં આવતો હોય અને તે સમયે ત્યાં ઈન્ટરનેટની સેવા બંધ કરવામાં આવે છે, જેને લઈ કાશ્મીરીએમાં ગુસ્સો, ડર અને અસુરક્ષાની ભાવનામાં વધારો થયો છે.