ETV Bharat / bharat

શત્રુઘ્નનો કટાક્ષ, મધ્યપ્રદેશમાં ત્રણ ભાગમાં વિભાજીત થઈ ભાજપ: મહારાજ, નારાજ અને શિવરાજ

author img

By

Published : Jul 7, 2020, 5:14 PM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ મધ્યપ્રદેશની રાજકીય પરિસ્થિતિ પર ધ્યાન આપ્યું છે. સિંહાએ ટ્વિટ કરી લખ્યું - મધ્યપ્રદેશમાં ભાજપ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ મહારાજ, બીજી નારાજ અને ત્રીજી શિવરાજ.

શત્રુઘ્નનો કટાક્ષ
શત્રુઘ્નનો કટાક્ષ

ભોપાલ: મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં જોડાયેલા જિયોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થકોને કોંગ્રેસ સતત ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને કોઈ પણ મુદ્દાને ચૂકતી નથી. એવામાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ મધ્યપ્રદેશની રાજકીય પરિસ્થિતિ પર ધ્યાન આપ્યું છે. સિંહાએ ટ્વિટ કરી લખ્યું - મધ્યપ્રદેશમાં ભાજપ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ મહારાજ, બીજી નારાજ અને ત્રીજી શિવરાજ.

  • Are you going to say something about this Sir?👇👇
    😔
    मध्य प्रदेश में भाजपा तीन खेमो में बट गयी।
    1.महाराज,
    2.नाराज ,और
    3.शिवराज

    🤣

    — Shatrughan Sinha (@ShatruganSinha) July 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટ્વિટર પર તેમણે લોકોના અભિપ્રાય જાણવા માટે કહ્યું, તેણે કહ્યું આ વિષય પર શું કહેવા માંગશો. મધ્યપ્રદેશ સરકારનું પહેલું પ્રધાનમંડળ 2 જુલાઇના રોજ વિસ્તર્યું હતું, જેમાં કુલ 28 પ્રધાનોએ શપથ લીધા હતા, જેમાં 9 સિંધિયા તરફી હતા, જ્યારે 2 સિંધિયા તરફી પ્રધાન પહેલેથી જ સરકારમાં છે, આમ સિંધિયા છાવણીમાંથી 11 પ્રધાનો બનાવવામાં આવ્યા છે.

કેબિનેટ વિસ્તરણમાં સ્થાન ન મળતા ભાજપના દિગ્ગજ નેતાઓની નારાજગી પણ બહાર આવી હતી. આ અંગે કોંગ્રેસ હવે સિંધિયા અને ભાજપ પર સતત પ્રહાર કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.