ETV Bharat / bharat

આજથી ત્રણ દિવસ RBIની બેઠક, ઈએમઆઈ ઘટવાની સંભાવના

author img

By

Published : Oct 7, 2020, 2:31 PM IST

આજથી ત્રણ દિવસ RBIની બેઠક, ઈએમઆઈ ઘટવાની સંભાવના
આજથી ત્રણ દિવસ RBIની બેઠક, ઈએમઆઈ ઘટવાની સંભાવના

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. રિઝર્વ બેન્કે 28 સપ્ટેમ્બરે એમપીસીની બેઠક ટાળી દીધી હતી. સમિતિમાં સ્વતંત્ર સભ્યોની નિયુક્તિમાં મોડું થવાના કારણે બેઠકને થોડા સમય માટે ટાળવી પડી હતી, પરંતુ હવે સરકાર તરફથી એમપીસીમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

બિઝનેસ ડેસ્ક: ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. રિઝર્વ બેન્કે 28 સપ્ટેમ્બરે એમપીસીની બેઠક ટાળી દીધી હતી. સમિતિમાં સ્વતંત્ર સભ્યોની નિયુક્તિમાં મોડું થવાના કારણે બેઠકને થોડા સમય માટે ટાળવી પડી હતી, પરંતુ હવે સરકાર તરફથી એમપીસીમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

વિશેષજ્ઞોના મતે, કેન્દ્રિય બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, જરૂરિયાત પ્રમાણે નાણાકીય નીતિઓમાં ફેરફાર થઈ શકે છે અને વ્યાજદરોમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. એસોચેમના મહાસચિવ દિપક સુદે કહ્યું હતું કે, આરબીઆઈએ વ્યાજ દરોમાં ઘટાડાનો સિલસિલો ચાલુ રાખવો જોઈએ. યુનિયન બેન્કના એમડી-સીઈઓ રાજકિરણ રાયે કહ્યું, મોંઘવારીના દબાણમાં રેપો ઘટાડવો સંભવ નથી લાગી રહ્યું. તો બીજી તરફ વિશેષજ્ઞોનું માનવું છે કે રેપો રેટમાં કાપ મુકવાની સંભાવના ઓછી છે. બજાર વિશ્લેષકોનું કહેવુ છે કે પહેલા ક્વાર્ટરમાં જીડીપી રેકોર્ડ નીચલા સ્તર સુધી ગયા બાદ આ પહેલી બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ઓગસ્ટમાં થયેલી એમપીસીની 24મી બેઠકમાં આરબીઆઈએ રેપોરેટમાં કોઈ ફેરફાર નહતો કર્યો. આ 4 ટકા યથાવત્ છે અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. જો આ બેઠકમાં રેપો રેટ ઓછો કરવામાં આવે તો ગ્રાહકોને ઈએમઆઈમાં રાહત મળશે.

મંગળવારે રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, નાણાકીય નીતિ સમિતિની બેઠક 7થી 9 ઓક્ટોબર સુધી ચાલશે. ત્રણ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અશિમા ગોયલ, જયંત આર. વર્મા અને શશાંક ભિડેને એમપીસીના સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની નિયુક્તિ સમિતિને આ નામોને મંજૂરી આપી છે.

ગેઝેટ નોટિફિકેશન અનુસાર, અશિમા ગોયલ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચમાં પ્રોફેસર છે. જયંત આર. વર્મા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં પ્રોફેસર છે. જ્યારે વરિષ્ઠ સલાહકાર શશાંક ભિડે નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ, દિલ્હીના સભ્ય છે. આરબીઆઈ એક્ટ અનુસાર, એમપીસીમાં બહારના સભ્યોનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે. એમપીસીની રચના ઓક્ટોબર 2016માં કરવામાં આવી હતી.

એમપીસીમાં ચેતન ઘાટે, પામી દુઆ, રવિન્દ્ર ધોળકિયાના સ્થાન પર આ નવા ત્રણ અર્થશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં આ ત્રણેય અર્થશાસ્ત્રીઓનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર 2020ના પૂર્ણ થઈ રહ્યો છે. તેમની નિયુક્તિ એમપીસીમાં 29 સપ્ટેમ્બર 2016માં 4 વર્ષ માટે કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.