ETV Bharat / bharat

હૈદરાબાદઃ વરસાદ પ્રભાવિતોની મદદ માટે રામોજી ગ્રુપે CM રિલીફ ફંડમા 5 કરોડની સહાય કરી

author img

By

Published : Oct 22, 2020, 2:02 PM IST

Updated : Oct 22, 2020, 4:55 PM IST

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થતિ સર્જાય છે. ભારે વરસાદથી સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું છે અને અનેક લોકોના મોત થયા છે. આ સ્થિતિનો સામનો કરવા રામોજી ગ્રૂપ ઓફ કંપનીના ચેરપર્સન રામોજી રાવે તેલંગણા રિલીફ ફંડમાં 5 કરોડ આપવાની જાહેરાત કરી છે.

Ramoji group donates
Ramoji group donates

હૈદરાબાદ: રામોજી ગ્રુપ ભારે વરસાદથી ઝઝૂમી રહેલા હૈદરાબાદના પીડિતોને મદદ કરવા આગળ આવ્યું છે. રામોજી ગ્રૂપ ઓફ કંપનીના ચેરપર્સન રામોજી રાવે છેલ્લા કેટલાક દિવસોથી હૈદરાબાદમાં પડેલા ભારે વરસાદથી પીડિતોને સહાય માટે 5 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે.

ગુરુવારે રામોજી ગ્રુપે આ રકમનો ચેક તેલંગણા આઈટી અને મ્યુનિસિપલ પ્રધાન કે.ટી. રામા રાવને આપ્યો હતો.

આ પણ વાંચો : COVID-19: EENADU ગ્રુપના ચેરમેન રામોજી રાવે આંધ્ર અને તેલંગાણા રાજ્ય માટે 10-10 કરોડનું દાન આપ્યું

આ પણ વાંચો : તેલંગાણામાં અનરાધાર: 50 લોકોના મોત અને 5000 કરોડનું નુકસાન, મુખ્યપ્રધાનની વડાપ્રધાનને સહાયની અપીલ

છેલ્લા કેટલાક દિવસોથી તેંલગાણા અને આંધ્રપ્રદેશમાં પડેલા ધોધમાર વરસાદને કારણે તેલંગાણાના હૈદરાબાદમાં પૂરની સ્થિતિ છે. તેમજ કરોડોનું આર્થિક નુકસાન પણ થયું છે. ત્યારે આ સ્થિતિને પહોંચી સીએમ રિલીફ ફંડમાં અનેક લોકો સહાય કરી રહ્યાં છે. રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે તેલંગાણા CM રિલીફ ફંડને 5 કરોડની સહાય કરી છે.

આ પણ વાંચો

Last Updated :Oct 22, 2020, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.