ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં પીડિત પરિવાર સાથે કરી મુલાકાત

author img

By

Published : Jan 4, 2020, 3:13 PM IST

ઉત્તર પ્રદેશઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગર ખાતે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર લોકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકાએ મૌલાના અસદ હુસૈની સાથે પણ મુલાકાત કરી હતી. મૌલાના અસદ હુસૈનીને પોલીસે નિર્દયતાપૂર્વક ઢોર માર માર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, સગીરો સહિત મદરેસાના વિદ્યાર્થીઓની કારણ વગર અટકાયત કરી હતી. જેમાના કેટલાકને છોડી મૂકાયા છે, તો કેટલાક હજૂ પણ જેલમાં છે.

priyanka gandhi in muzaffarnagar
પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં પીડિત પરિવાર સાથે કરી મુલાકાત

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી શનિવારે મુઝફ્ફરનગર પહોંચી હતી. જ્યા તેણે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર લોકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

પ્રિયંકા ગાંધી મુઝફ્ફરનગર ખાતે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર નુરના પરિવારને પણ મળી હતી. આ દરમિયાન મૌલાના અસદના ઘરે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

  • Priyanka Gandhi Vadra in Muzzafarnagar: I met Maulana Asad Hussaini who was brutally thrashed by Police, students of Madarsa including minors were picked up by Police without any reason, of them some were released and some are still in custody. pic.twitter.com/MROah9Qb0f

    — ANI UP (@ANINewsUP) January 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસના નેતા ઈમરાન મસુદ અને પંકજ મલિક પણ તેમની સાથે હાજર રહ્યા હતા. મુઝફ્ફરનગરથી પરત ફરતી વખતે પ્રિયંકા ગાંધી મેરઠની મુલાકાત કરશે. જ્યાં તેઓ હિંસામાં મૃત્યું પામનારના પરિવારને મળે તેવી શક્યતા છે.

Intro:Body:

मुज़फ़्फ़रनगर में प्रियंका गांधी वाड्रा: मैं मौलाना असद हुसैनी से मिली, जिनकी पुलिस ने बेरहमी से पिटाई की, नाबालिगों सहित मदरसा के छात्रों को पुलिस ने बिना किसी कारण के उठा लिया, उनमें से कुछ को रिहा कर दिया गया और कुछ अब भी हिरासत में हैं।


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.