ETV Bharat / bharat

દિશા સાલિયન મોતની CBI તપાસની અરજી પર 12 ઓક્ટોબરે સુનાવણી

author img

By

Published : Oct 9, 2020, 10:53 AM IST

સુશાતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોત મામલે CBI તપાસ કરવાની માગ પરની અરજી સુપ્રીમ કોર્ટેમાં કરવામાં આવી છે. આ અરજી પર 12 ઓક્ટોબરના રોજ કોર્ટ નિર્ણય કરશે.

CBI CBI
CBI

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સલિાયનના મોત મામલે CBI દ્વારા તપાસની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટ આ નિર્ણય 12 ઓક્ટોબરના રોજ કરશે. જોકે, ટૂંકી સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું કે અરજદારે આ બાબતે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ.

દિશાએ 8 મી જૂને મુંબઈના મલાડ વેસ્ટમાં રિજન્ટ ગેલેક્સીના 14 મા માળેથી પડતુ મકતા તેનું મોત નિપજ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે આ ઘટનાના એક અઠવાડિયા બાદ 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિશા અભિનેતા રોહન રાય સાથે સંબંધમાં હતી. બંન્ને લોકડાઉન બાદ લગ્ન કરવાના હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.