ETV Bharat / bharat

608 ડોમેસ્ટીક ફ્લાઈટ્સમાં 41,673 લોકોએ કર્યો પ્રવાસ

author img

By

Published : May 27, 2020, 9:44 AM IST

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા ફરી શરૂ થયાના બીજા દિવસે (મંગળવાર સાંજે 5 કલાક સુધીમાં) ભારતીય વિમાન મથકોથી 41,673 પ્રવાસીઓ સાથે કુલ 608 ફ્લાઈટ ઉડી હતી.

608 ડોમેસ્ટીક ફ્લાઈટ્સમાં 41,673 લોકોએ કર્યો પ્રવાસ
608 ડોમેસ્ટીક ફ્લાઈટ્સમાં 41,673 લોકોએ કર્યો પ્રવાસ

નવી દિલ્હી: ભારતમાં ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા ફરી શરૂ કર્યાના એક દિવસ બાદ 41,673 લોકોએ 608 ફ્લાઈટમાં પ્રવાસ કર્યો હતો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વિટર પર આ બાબતે જણાવ્યું હતું કે, મંગળવારે સરળ કામગીરી જોવા મળી હતી. ભારતના વિમાની મથકોમાં મંગળવાર સાંજ સુધીમાં 41,673 પ્રવાસી સાથે 325 ફ્લાઈટનું પ્રસ્થાન અને 283 ફ્લાઈટનું આગમન થયું છે.

  • Smooth operations of domestic civil aviation.
    Our airports have handled 325 departures & 283 arrivals with 41,673 passengers till 5pm on 26 May 2020, the 2nd day after recommencement of domestic flights. Final report for the day will be prepared after details come in at midnight

    — Hardeep Singh Puri (@HardeepSPuri) May 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એક દિવસ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું કે, મંગળવારે આંધ્રપ્રદેશની હવાઈ સેવા ફરી શરૂ થતાં પ્રવાસીઓ અને ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થશે. બે મહિના બાદ વિમાન સેવા ફરી શરૂ કરવાના પહેલા જ દિવસે સોમવારે 832 ફ્લાઇટ્સમાં 58,318 લોકોએ પ્રવાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.