ETV Bharat / bharat

નિર્ભયા કેસઃ કાલે દોષીઓને 'સજા એ મોત', SCએ પવન ગુપ્તાની અરજી ફગાવી

author img

By

Published : Mar 19, 2020, 9:40 AM IST

Updated : Mar 19, 2020, 11:50 AM IST

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ પિટિશન અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. આવતી કાલે દોષીઓને ફાંસી આપવામાં આવશે.

Nirbhaya case news
Nirbhaya case news

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના દોષી પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી પવન ગુપ્તા હજી પણ ફાંસીથી બચવાના પ્રયાસ કર્યો હતો. પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. જેને સુુપ્રીમ કોર્ટે ફગાવી છે. પવન ગુપ્તાએ આ પિટિશન તેણે અગાઉ કરેલી અરજી રદ થઈ હોવાના વિરુદ્ધ દાખલ કરી હતી, જેમાં તેનો કિશોર હોવાનો દાવો કોર્ટે નકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે દોષી પવન ગુપ્તાની સમીક્ષા અરજી 31 જાન્યુઆરીએ નકારી હતી, જે અરજીમાં તેણએ અદાલના ફાંસી આપવાના નિર્ણય પર સમીક્ષા કરવાની અપીલ કરી હતી. તેમજ કોર્ટે તેની નાબાલિક હોવાની અરજી પણ નકારી હતી.

નોંધનીય છે 20 માર્ચે એટલે કે, આવતી કાલે નિર્ભયા કેસના ચારેય દોષીઓને સવારે ફાંસી આપવામાં આવશે.

Last Updated : Mar 19, 2020, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.