ETV Bharat / bharat

NIHએ COVID-19ની સારવાર માટે એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા સાથે એન્ટિવાયરલ રીડેસિવીરનો અભ્યાસ શરૂ કર્યો

author img

By

Published : May 13, 2020, 10:57 PM IST

જેમ જેમ કોરોના વાયરસ વિશ્વભરમાં વિસ્તરી રહ્યો છે ત્યારે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ (NIH)એ ગિલીડ સાયન્સની એન્ટિ વાયરલ ડ઼્રગ રેમડેસિવીર અને એન્ટિ ઇન્ફલેમેટરી ટ્રીટમેન્ટ બેરીસીટીનેબના સંયોજનથી કોવિડ-19ની સારવાર લેતા દર્દીઓની સારવાર માટે ક્લિનિકલ અભ્યાસ શરૂ કર્યો છે.

NIHએ COVID-19ની સારવાર માટે એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા સાથે એન્ટિવાયરલ રીડેસિવીરનો અભ્યાસ શરૂ કર્યો
NIHએ COVID-19ની સારવાર માટે એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા સાથે એન્ટિવાયરલ રીડેસિવીરનો અભ્યાસ શરૂ કર્યો

હૈદરાબાદઃ હાલ સમગ્ર વિશ્વ કોરોનાવાયરસના સંકટ સામે ઝઝુમી રહ્યુ છે ત્યારે NIHએ દાવો કર્યો છે કે તેમના દ્વારા કોવિડ-19 માટે ગિલીડ સાયન્સની એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવીર અને એન્ટી ઇન્ફલેમેટરી ટ્રીટમેન્ટ બેરીસિટીનેબા સંયોજના સંયોજનને આધારે ક્લિનિકલ અભ્યાસ શરૂ કરાયો છે. જે કોવિડ-19ના દર્દીઓ માટે ઉપયોગી થઇ શકશે.

હાલ આ ટ્રાયલ માટે અમેરિકાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પુખ્તવયના દર્દીઓની નોંધણી થઇ રહી છે અને અપેક્ષા રાખવામાં આવી રહી છે કે 1000 થી વધિ લોકો પર આ ટ્રાયલ કરવામાં આવશે.

નેશનલ ઇન્સિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડીસીઝના ડાયરેક્ટર એન્થોની ફૌસીએ જણાવ્યુ કે ટ્રાયલ દરમિયાન એ સર્વેમાં ધ્યાન આપવામાં આવશે કે એન્ટિ ઇન્ફલેમટરી એજન્ટને રિમડેસિવીરમાં ઉમેરીને કોવિડ-19ની સારવારમાં મૃત્યુ દર ઘટાડવાથી માંડી થી લઇને અન્ય વધારાના ફાયદાઓ અંગે થઇ શકે છે નહી.

ફૌસીએ ઉમેર્યુ કે હવે આપણી ચોક્કસ અને નક્કર ડેટા છે કે જે દર્શાવે છે કોવિડ-19 માટે હોસ્પિટલમાં દાખલ લોકોની સારવાર બાદ સાજા થવાનો સમય ઘટી રહ્યો છે.

બેલીસિટીનીબ કે જેનું માર્કેટીંગ ઇલી લીલી કંપની દ્વારા ઓલ્યુમેઇન્ટ બ્રાંડના નામથી કરવામાં આવે છે. તેનું કોવિડ-19 હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા દર્દીઓ પર સંભવિત સારવાર તરીકે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

હાલ કોવિડ-19ની સારવાર માટેની કોઇ માન્ય સારવાર અથવા રસી ન હોવાને કારણે રિમડેસિવીરમાં તબીબોને અને વૈજ્ઞાનિકોને વધે રસ છે. કોરોના વાયરસથી થતી શ્વાસની બિમારીના કારણે અમેરિકામાં 70 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. રિમડેસિવીર 200 મિલિગ્રામ આઇવી ડોઝ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 10 દિવસના કુલ કોર્ષ સુધી હોસ્પિટલમાં દાખલ થવામા સમયગાળા માટે દરરોજ એકવાર 100 મિલિગ્રામનો ડોઝ આપવામાં આવે છે. બેરીસિટીનીબની સારવાર માટે 14 દિવસના સર્વે સુધી દરરોજ ચાર મિલીગ્રામની માત્ર આપવામાં આવે છે.

આ અંગે તપાસ કરનારા એ મૂલ્યાંકન કરશે કે સાજા થનાર લોકોની સારવારનો સમય બેરિસિટીનીબ અને રીમડેસિવીરમાં કેટલો થશે.?

આ ટ્રાયલ અન્ય ટ્રીટમન્ટ આપતા જુથ સાથે તુલના કરશે, જેમા હાલ માત્ર મૃત્યુદરનો સમાવેશ થાય છે.

એકલા રીમડેસિવીરથી સંબંધિત છે. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆત યુ.એસ ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે કોવિડ-19ની સારવાર માટે આપવામાં આવતા ડ્રગ્સથી ફાયદા કરતા તેના જોખમ વધી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.