ETV Bharat / bharat

નાપાક પાકે જમ્મુમાં કર્યુ ફાયરિંગ, એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત

author img

By

Published : Jul 18, 2020, 8:24 AM IST

પાકિસ્તાન આર્મીએ શુક્રવારે રાત્રે જમ્મુ કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક ભારતીય ચોકીઓ એને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને સેલ ફાયર કર્યા હતા. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયાં છે.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર

જમ્મુ કાશ્મીર : પાકિસ્તાન આર્મીએ શુક્રવારે રાત્રે જમ્મુ કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક ભારતીય ચોકીઓ એને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને શેલ ફાયર કર્યા હતા.જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયાં છે. મળતી માહિતી અનુસાર ભારતીય સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ દઇ રહી છે.

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે 9:20 વાગ્યે પાકિસ્તાની સૈનિકોએ નાના હથિયારોથી એલઓસી પર પૂંછના ગુલપુર સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ એલઓસી પર કરમારા સેક્ટરમાં પણ ભારે ગોળીબાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.