ETV Bharat / bharat

કર્ણાટક પેટાચૂંટણી: 6 ધારાસભ્યો નક્કી કરશે યેદીયુરપ્પાનું ભવિષ્ય, હાર્યા તો ઘરભેગા

author img

By

Published : Sep 22, 2019, 5:26 PM IST

બેંગ્લુરૂ: કર્ણાટક વિધાનસભામાં કુલ 225 સભ્યો છે. જેમાંથી એક નિમાયેલા સભ્ય છે. એટલા માટે અહીં સીટોની સંખ્યા 224 થાય છે. 17 સભ્યોને અયોગ્ય જાહેર કર્યા બાદ 15 સીટ પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે.

karnataka by election 2019

કર્ણાટકમાં પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે અહીં 21 ઓગસ્ટના રોજ ચૂંટણી કરવાની જાહેરાત કરી છે. જેના કારણે કોંગ્રેસ અને જેડીએસના અયોગ્ય થયેલા ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે. આ તમામ ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે. તેમનું આયોજન સુપ્રીમ કોર્ટમાં જવાનું છે. આ તમામ ધારાસભ્યો અરજી કરવાના છે કે, હાલમાં ચૂંટણી યોજવામાં ન આવે.

આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં પેટા ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્ત્વની છે. કારણ કે, યેદિયુરપ્પા સરકારને બહુમત સાથે સીધો સંબંધ છે. યેદિયુરપ્પાને સરકાર બનાવી રાખવા ઓછામાં ઓછી 6 સીટો જીતવી જરૂરી છે. કર્ણાટકમાં 15 બળવાખોર ધારાસભ્યો રાજીનામા આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. બાદમાં આ તમામ સભ્યો અયોગ્ય જાહેર થયા હતા. આ તમામ સીટ પર ફરી વાર ચૂંટણી થઈ રહી છે. 21 ઓક્ટોબરના રોજ યોજાનારી આ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબર આવશે.

કર્ણાટક વિધાનસભાનું સમીકરણ
કર્ણાટક વિધાનસભામાં કુલ 225 સભ્યો છે. જેમાંથી એક નિમાયેલા સભ્ય છે. એટલા માટે અહીં સીટોની સંખ્યા 224 થાય છે. 17 સભ્યોને અયોગ્ય જાહેર કર્યા બાદ 15 સીટ પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે.

15 વિધાનસભાની મતગણતરી બાદ કર્ણાટક વિધાનસભામાં 222ની સંખ્યા થઈ જશે. સત્તાધારી ભાજપ પાસે હાલમાં 106 ધારાસભ્યો છે. જેમાં અપક્ષ ઉમેદવાર એચ. નાગેશ પણ સામેલ છે. કોંગ્રેસ પાસે 66 અને જેડીએસ પાસે 34 ધારાસભ્યો છે, તથા એક અપક્ષ ઉમેદવાર છે. જો કે, આ અપક્ષ ઉમેદવાર હાલ ભાજપની સાથે છે તેથી ભાજપ પાસે 106નું સંખ્યાબળ થઈ ગયું છે.તેથી હજી પણ ભાજપને 6 ધારાસભ્યોની જરુરિયાત ઊભી થાય છે. તેથી આ પેટા ચૂંટણીમાં ભાજપનું ભવિષ્ય નક્કી થશે.

આ સીટો પર થશે પેટા ચૂંટણી
ચૂંટણીમાં સામેલ થનારા વિધાનસભા સીટોમાં જોઈએ તો ગોકક, અથાની, રાનીબેનૂર, કાગવાડ, હિરેકર, યેલાપુર, યશવંતપુરા, વિજયનગર, શિવાજીનગર, હોસાકોટ, હુનસૂર, કૃષ્ણારાજપેટ, મહાલક્ષ્મી લેઆઉટ, કેઆરપુરા, ચિકબલ્લાપુરા સામેલ છે. ચૂંટણી પંચે જો કે, આર.આર.નગર તથા મસ્કીમાં વિધાનસભા ચૂંટણીની કોઈ જાહેરાત બાકી રાખી છે.

બળવાખોર ધારાસભ્યોએ પોતાની યોગ્યા સાબિત કરવા માટે સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યા છે. તેઓ ફરી એક સુપ્રીમમાં પહોચ્યા છે. આ વખતે તેમની માગ છે કે, હાલ કર્ણાટકમાં પેટા ચૂંટણી યોજવામાં ન આવે.

Intro:Body:

કર્ણાટક પેટાચૂંટણી: 6 ધારાસભ્યો નક્કી કરશે યેદીયુરપ્પાનું ભવિષ્ય, હાર્યા તો ઘરભેગા 







બેંગ્લુરૂ: કર્ણાટક વિધાનસભામાં કુલ 225 સભ્યો છે. જેમાંથી એક નિમાયેલા સભ્ય છે. એટલા માટે અહીં સીટોની સંખ્યા 224 થાય છે. 17 સભ્યોને અયોગ્ય જાહેર કર્યા બાદ 15 સીટ પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે.



કર્ણાટકમાં પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે અહીં 21 ઓગસ્ટના રોજ ચૂંટણી કરવાની જાહેરાત કરી છે. જેના કારણે કોંગ્રેસ અને જેડીએસના અયોગ્ય થયેલા ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે. આ તમામ ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે. તેમનું આયોજન સુપ્રીમ કોર્ટમાં જવાનું છે. આ તમામ ધારાસભ્યો અરજી કરવાના છે કે, હાલમાં ચૂંટણી યોજવામાં ન આવે.



આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં પેટા ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્ત્વની છે. કારણ કે, યેદિયુરપ્પા સરકારને બહુમત સાથે સીધો સંબંધ છે. યેદિયુરપ્પાને સરકાર બનાવી રાખવા ઓછામાં ઓછી 6 સીટો જીતવી જરૂરી છે. કર્ણાટકમાં 15 બળવાખોર ધારાસભ્યો રાજીનામા આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. બાદમાં આ તમામ સભ્યો અયોગ્ય જાહેર થયા હતા. આ તમામ સીટ પર ફરી વાર ચૂંટણી થઈ રહી છે. 21 ઓક્ટોબરના રોજ યોજાનારી આ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબર આવશે. 



કર્ણાટક વિધાનસભાનું સમીકરણ

કર્ણાટક વિધાનસભામાં કુલ 225 સભ્યો છે. જેમાંથી એક નિમાયેલા સભ્ય છે. એટલા માટે અહીં સીટોની સંખ્યા 224 થાય છે. 17 સભ્યોને અયોગ્ય જાહેર કર્યા બાદ 15 સીટ પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે.

15 વિધાનસભાની મતગણતરી બાદ કર્ણાટક વિધાનસભામાં 222ની સંખ્યા થઈ જશે. સત્તાધારી ભાજપ પાસે હાલમાં 106 ધારાસભ્યો છે. જેમાં અપક્ષ ઉમેદવાર એચ. નાગેશ પણ સામેલ છે. કોંગ્રેસ પાસે 66 અને જેડીએસ પાસે 34 ધારાસભ્યો છે, તથા એક અપક્ષ ઉમેદવાર છે. જો કે, આ અપક્ષ ઉમેદવાર હાલ ભાજપની સાથે છે તેથી ભાજપ પાસે 106નું સંખ્યાબળ થઈ ગયું છે.તેથી હજી પણ ભાજપને 6  ધારાસભ્યોની જરુરિયાત ઊભી થાય છે. તેથી આ પેટા ચૂંટણીમાં ભાજપનું ભવિષ્ય નક્કી થશે.



આ સીટો પર થશે પેટા ચૂંટણી

ચૂંટણીમાં સામેલ થનારા વિધાનસભા સીટોમાં જોઈએ તો ગોકક, અથાની, રાનીબેનૂર, કાગવાડ, હિરેકર, યેલાપુર, યશવંતપુરા, વિજયનગર, શિવાજીનગર, હોસાકોટ, હુનસૂર, કૃષ્ણારાજપેટ, મહાલક્ષ્મી લેઆઉટ, કેઆરપુરા, ચિકબલ્લાપુરા સામેલ છે. ચૂંટણી પંચે જો કે, આર.આર.નગર તથા મસ્કીમાં વિધાનસભા ચૂંટણીની કોઈ જાહેરાત બાકી રાખી છે.



બળવાખોર ધારાસભ્યોએ પોતાની યોગ્યા સાબિત કરવા માટે સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યા છે. તેઓ ફરી એક સુપ્રીમમાં પહોચ્યા છે. આ વખતે તેમની માગ છે કે, હાલ કર્ણાટકમાં પેટા ચૂંટણી યોજવામાં ન આવે.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.