ETV Bharat / bharat

ઝારખંડ: સરકાર તો બની ગઈ પણ હેમંત સોરેન સામે છે સૌથી મોટા પડકારો

author img

By

Published : Dec 24, 2019, 12:30 PM IST

Hemant Soren
Hemant Soren

નવી દિલ્હી: ઝારખંડમાં ભાજપની કારમી હાર અને મહાગઠબંધનની જીત બાદ ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હેમંત સોરેન માટે મુખ્યપ્રધાન બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. મુખ્યપ્રધાન બન્યા બાદ હેમંત સોરેન સામે પડકારો કંઈ ઓછા નથી. જનતાના સપનાને પુરા કરવા માટે તેમની સામે પાંચ મોટા પડકારો છે.

85 હજાર કરોડના દેવામાં ડૂબેલું છે ઝારખંડ

ઝારખંડ સરકાર પર હાલમાં 85 હજાર 234 કરોડનું દેવુ છે. 2014માં જ્યારે રઘુવર દાસે સરકાર સંભાળી ત્યારે રાજ્ય પર 37 હજાર 593 કરોડનું દેવુ હતું, પણ રાજ્યમાં રઘુવરની સરકાર આવ્યા બાદ તો દેવું કુદકેને ભુસકે વધતું જ ગયું. 2014થી પહેલા 14 વર્ષોમાં આવેલી સરકારોએ જેટલું દેવું કર્યું છે, તેનાથી વધુ રઘુવર સરકારે પાંચ વર્ષમાં કરી નાખ્યું છે. ત્યારે આવા સમયે મુખ્યપ્રધાન બન્યા બાદ હેમંત સોરેન સામે દેવુ ઓછુ કરવાનો સૌથી મોટો પડકાર રહેશે. રાજ્યમાં ખેડૂતો પર પણ 6 હજાર કરોડથી પણ વધારેનું દેવુ છે. ત્યારે ખેડૂતોના દેવાની સામે જોવાનું પણ સોરેનના માથે આવશે.

ગરીબ રાજ્યનું ટૈગ હટાવવું
વર્ષ 2000માં બિહારથી અલગ થયા બાદ ઝારખંડના માથે ગરીબ રાજ્યનું ટૈગ લાગેલું છે. આ રાજ્યમાં હજુ પણ 36.96 ટકાથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવે છે. તેથી ગરીબ રાજ્યના ટૈગમાંથી છૂટકારો અપાવવો હેમંત સોરેન માટે એક પડકાર બની રહેશે.

અનાજની ઘટને દૂર કરવી
ભૂખમરાથી થતાં મોતને લઈ ઘણી વાર ઝારખંડ ચર્ચામાં રહ્યું છે. આ એજ રાજ્ય છે જ્યાં 2017માં સિમડેગા જિલ્લામાં 11 વર્ષની સંતોષી નામની બાળકી ભાત-ભાત કરતા મરી ગઈ હતી. ભૂખથી બિમાર થયેલી આ બાળકીના મોત પર ઘણો હોબાળો થયો હતો. આંકડાની વાત કરીએ તો ઝારખંડમાં દર વર્ષે લગભગ 50 લાખ મેટ્રીક ટન અનાજની જરુર છે, પણ અહીં સારામાં સારી સ્થિતીમાં પણ 40 લાખ મેટ્રીક ટન અનાજનું જ ઉત્પાદન થાય છે. આ 10 લાખ મેટ્રીન ટન અનાજનું અંતર પુરુ કરવું સોરેન માટે પડકાર બની રહેશે.

નક્સલ અને સુરક્ષા
ઝારખંડમાં આમ જોવા જઈએ તો, અનેક જિલ્લા નક્સલ પ્રભાવિત છે. પણ હજુ પણ 13 જિલ્લા નક્સલની ઝપટમાં છે. જેમાં ખૂંટી, લાતેહાર, રાંચી, ગુમલા, ગિરિડીહ, પલામૂ, ગઢવા, સિમડેગા, દુમકા, લોહરદગા, બોકારો અને ચતરા જિલ્લાનો સમાવેશ થાય છે. જેને નક્સલ મુક્ત બનાવવું હેમંત માટે પડકાર રહેશે. ઝારખંડ મોબ લિંચિંગ માટે પણ પ્રખ્યાત છે. ત્યારે આવી ઘટનાઓને રોકવી એ પણ એક પડકાર સમાન સાબિત થશે.

સૌથી વધુ બેરોજગારી વાળું પાંચમું રાજ્ય
મુખ્યપ્રધાન બન્યા બાદ હેમંત સોરેનની સામે રાજ્યમાં યુવાનોને રોજગારી આપવી એ મોટો પડકાર છે. સેંમ્પલ સર્વે ઓફ ઓફિસના એપ્રિલમાં આવેલા રિપોર્ટમાં ઝારખંડ તે 11 રાજ્યોમાં સામેલ છે જ્યાં બેરોજગારી દર સૌથી વધું છે. આ રિપોર્ટ મુજબ ઝારખંડ પાંચમા નંબરે છે. ઝારખંડમાં 2011-12માં 2.5 ટકા બેરોજગારી હતી, જે 2017-18માં વધીને 7.7 ટકા થઈ ગઈ છે. આ રિપોર્ટમાં સૌથી વધું બેરોજગારી કેરલમાં 11.4 ટકા બતાવવામાં આવી છે.

ઝારખંડમાં દર પાંચ યુવાનોમાંથી એક યુવાન બેરોજગાર છે. પ્રદેશમાં 46 ટકા પોસ્ટ ગ્રેજ્યુએટ અને 49 ટકા ગ્રેજ્યુએટ યુવાનોને નોકરી મળતી નથી. ઈન્સ્ટીટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટના રિપોર્ટમા આ આંકડા સામે આવ્યા છે. ઈકોનોમિક સર્વે 2018-19ના આધારે સરકાર રોજગારલક્ષી યોજનાઓ અંતર્ગત એક લાખથી પણ વધું યુવાનોને ટ્રેનીંગ આપી પણ 10માંથી ફ્કત 8 યુવાનો જ નોકરી શોધી રહ્યા છે.

હેમંત સોરેનનું વચન

હેમંત સોરેને પોતાના ફેસબુક પેજ પર કહ્યું છે કે, ઝારખંડમાં બેરોજગારી દર પોતાની સિમાડા વટાવી ચુકી છે. જે એક બિમારી માફક વધી રહ્યું છે. દેશમાં જ્યારે બેરોજગારી દર 7.2 ટકા છે ત્યારે રાજ્યમાં 9.4 ટકા છે.વિતેલા પાંચ વર્ષમાં રઘુવર સરકારે યુવાનોને બસ છેતર્યા છે. રાજ્યમાં 4 લાખ તો બેરોજગાર ચોપડે છે.તેનાથી પણ વધુ તો રોજગાર માટે અનેક લોકો ભટકી રહ્યા છે.

તેમણે કહ્યું છે કે, હું રાજ્યના બેરોજગાર યુવાનોને વચન આપું છું કે, મારી સરકાર આવ્યા બાદ મોટા ભાગના યુવાનોને રાજ્યમાં રોજગાર આપીશ. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપીશ.

Intro:Body:

झारखंड : रघुवर दास की हार के 5 प्रमुख कारण



नई दिल्ली, 24 दिसंबर (आईएएनएस)| झारखंड में भाजपा को गठबंधन से हार का सामना करना पड़ा है। खास बात है कि मुख्यमंत्री रघुवर दास अपनी ही सीट नहीं बचा पाए। उन्हें पार्टी के बागी उम्मीदवार सरयू राय के हाथों 15 हजार से अधिक वोटों से हार का सामना करना पड़ा है। आखिर क्या वजह रही कि जमशेदपुर पूर्वी से लगातार पांच बार जीतने वाले रघुवर दास बतौर मुख्यमंत्री भी अपनी सीट बचा नहीं पाए।



प्रदेश की राजनीति को समझने वालों का कहना है कि हार के पीछे दास का 'अहंकारी रवैया' और विकास के नाम पर 'हकीकत कम, फसाना ज्यादा' जैसी बातें जिम्मेदार रहीं। उनकी सरकार ने शिक्षा, स्वास्थ्य और रोजगार जैसी बुनियादी जरूरतों पर अपेक्षित ध्यान ही नहीं दिया।



रांची विश्वविद्यालय में राजनीति शास्त्र के एसोसिएट प्रोफेसर डॉ. जयप्रकाश खरे ने आईएएनएस से बातचीत में कहा, "आजसू के साथ गठबंधन टूटना भाजपा की हार का सबसे बड़ा कारण है, क्योंकि प्रदेश की विविधता को देखते हुए गठबंधन की राजनीति ही चल सकती है जिसको पहचान कर विपक्षी दलों ने महागठबंधन (झामुमो-कांग्रेस-राजद गठबंधन) किया। वहीं, टिकट बंटवारा भी एक बड़ा कारण है।"



प्रदेश के शिक्षाविदों, अधिकारियों और सामाजिक कार्यकर्ताओं ने आईएएनएस से बातचीत में जिन प्रमुख कारणों का जिक्र किया, उनमें ये पांच प्रमुख कारण हैं :



1. रघुवर की अलोकप्रियता और सरकार के प्रति असंतोष : चुनाव में हार के पीछे रघुवर दास की छवि की बड़ी भूमिका बताई जाती है। पार्टी के नेताओं ही नहीं, बल्कि आम जन से भी रघुवर का आत्मीय संबंध नहीं रहा। सरयू राय सहित संगठन के कुछ नेता हाईकमान तक रघुवर के व्यवहार की शिकायतें करते रहे मगर कुछ नहीं हुआ। नतीजा असंतोष बढ़ता गया।



शिक्षा, स्वास्थ्य और रोजगार जैसी बुनियादी जरूरतों पर अपेक्षित ध्यान सरकार के न देने का भी खामियाजा भुगतना पड़ा। रघुवर दास की सरकार में आंगनबाड़ी कार्यकर्ताओं और पैरा-शिक्षकों पर लाठीचार्ज की घटना हुई थी, जिससे गांव-गांव और घर-घर में सरकार के प्रति असंतोष का माहौल था।



2. ब्यूरोक्रेसी भी नाराज : एक अधिकारी ने नाम जाहिर न करने की शर्त पर बताया किरघुवर दास की अहंकार की प्रवृत्ति से आम लोग से लेकर ब्यूरोक्रेसी नाखुश रही।



3. बुनियादी सुविधाओं पर जोर न देना : रघुवर दास ने शिक्षा, चिकित्सा जैसी मूलभूत सुविधाओं पर अपेक्षित ध्यान नहीं दिया। एक चिकित्सक ने कहा, "रांची स्थित रिम्स (राजेंद्र इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज) तक में डॉक्टरों की बहाली नहीं हुई। शिक्षा और स्वास्थ्य के नाम पर सरकार ने सिर्फ विज्ञापन प्रकाशित किया, हकीकत में इन दोनों क्षेत्रों में कोई काम नहीं हुआ।"



4. मॉब लिंचिंग से जनता में असुरक्षा की भावना : एक सामाजिक कार्यकर्ता ने बताया कि इस सरकार के दौरान मॉब लिंचिंग की घटना से भी लोग नाराज थे। उन्होंने कहा कि यह सरकार झारखंड के सामाजिक ताना-बाना को नहीं समझ पाई, जिससे आदिवासी के साथ-साथ दूसरे समुदाय में भी असंतोष था। अगर अर्जुन मुंडा को मुख्यमंत्री उम्मीदवार बनाया जाता तो भाजपा बेहतर स्थिति में रहती।



उन्होंने कहा कि सरकार जिस विकास की बात करती थी, वह शहरों तक ही सीमित थी, गांव विकास से महरूम था। उन्होंने कहा कि प्रदेश में भाजपा की सरकार से लोगों को जो उम्मीद थी उसे पूरा करने में यह सरकार विफल साबित हुई।


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.