ETV Bharat / bharat

રાજસ્થાન: રાજ્યપાલને મળ્યા ગેહલોત, ધારાસભ્યોએ રાજભવનમાં કર્યા સૂત્રોચ્ચાર

author img

By

Published : Jul 24, 2020, 7:13 PM IST

કોંગ્રેસ સમર્થિત ધારાસભ્યોએ રાજભવનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન રાજ્યપાલ કલરાજ મિશ્ર પણ મુખ્યપ્રધાન સાથે ધારાસભ્યો વચ્ચે પહોંચ્યા હતા, પરંતુ તે સમયે પણ ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.

અશોક ગેહલોત
અશોક ગેહલોત

રાજસ્થાન: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય મહાસંગ્રામ હવે સરકાર અને રાજભવન વચ્ચેના સંઘર્ષમાં ફેરવાયો છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત રાજભવન પહોંચ્યા અને એકલા જ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળ્યા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાને ધારાસભ્યોના સમર્થન પત્રોને પણ રાજ્યપાલ કલરાજ મિશ્રાને સુપરત કર્યો છે, પરંતુ આવા સંજોગોમાં વિધાનસભા સત્ર બોલાવવામાં આવે તેવી સંભાવના નથી. જો કેકે કોરોનાની માર્ગદર્શિકાને આધાર બનાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન વચ્ચે વિધાનસભા સત્રને લઈને ચર્ચા થઈ હતી. રાજ્યપાલે કહ્યું કે આટલા ટૂંકા સમયમાં સત્ર યોજી શકાય તેમ નથી. તે જ સમયે, આ પછી, મુખ્યપ્રધાને નિયમોના આધારે તેમને માહિતી પણ આપી.

હાલ રાજ્યપાલ તેમની ચેમ્બરમાં છે અને મુખ્યપ્રધાન, વરિષ્ઠ પ્રધાનો અને ધારાસભ્યો સાથે ચર્ચા કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પછી જ નિયમો વિશે વધુ ચર્ચા થઈ શકશે.

ધારાસભ્યોએ રાજભવનમાં સરમુખત્યારશાહી નહીં ચાલે, અશોક ગેહલોત ઝિંદાબાદ જેવા નારા લગાવ્યા હતા, જો કે, ધારાસભ્યોએ રાજ્યપાલની ગરીમાને જોતા સૂત્રોચ્ચાર બંધ કર્યા હતા. જો કે, રાજભવનમાં વિરોધ ચાલુ છે. ધારાસભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી તેઓ ધરણામાંથી ઉઠશે નહીં.

કોંગ્રેસ અને સમર્થિત ધારાસભ્યો રાજ ભવનમાં બેઠા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ સમય દરમિયાન, રાજ્યપાલ કલરાજ મિશ્રા પણ મુખ્યપ્રધાન સાથે ધારાસભ્યોની વચ્ચે પહોંચ્યા હતા, પરંતુ તે સમયે પણ ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ જ રાખ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.