ETV Bharat / bharat

સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષનો એકસૂર, ફારુક અબ્દુલાને સંસદ સત્રમાં સામેલ થવાની મંજૂરી મળે

author img

By

Published : Nov 17, 2019, 5:37 PM IST

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર પહેલા પાર્લિયામેન્ટની લાઈબ્રેરી બિલ્ડીંગમાં થયેલી સર્વ પક્ષીય બેઠકમાં તમામ પક્ષના પ્રતિનિધિઓએ સત્ર દરમિયાન ચર્ચામાં આવાનારા મહત્વના મુદ્દાને લઈને પોતાનો મત રજૂ કર્યો હતો. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત વિપક્ષમાંથી ગુલામ નબી આઝાદ, અધીર રંજન, ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન, બસપાના સતીશ ચંદ્ર મિશ્રા, ચિરાગ પાસવાન, તથા આપના સંજય સિંહ હાજર રહ્યા હતા.

winter session of Parliament

આ બેઠક દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરંસના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલાને સંસદ સત્રમાં હાજર રહેવા માટેની ભલામણ કરી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે ફારુક અબ્દુલાને સંસદના સત્રમાં હાજર રહેવા દેવાની માગ કરી છે. જેના પર સંસદીય કાર્યમંત્રીએ કહ્યું હતું કે, ફારુક અબ્દુલા પર કોર્ટ નિર્ણય લેશે, સરકાર નહીં.

winter session of Parliament
ani twitter

ગુલામ નબી આઝાદે આગળ કહ્યું હતું કે, અમે ત્રીજો મુદ્દો એ પણ રાખ્યો છે કે, ફારુક અબ્દુલા સાહેબને સાડા ત્રણ મહિનાથી કેમ બંધ રાખવામાં આવ્યા છે. અમે માગ કરી છે કે,આ સત્રમાં ફારુક અબ્દુલાને સત્રમાં હાજર રહેવાની મંજૂરી મળે.

Intro:Body:

સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષનો એકસૂર, ફારુક અબ્દુલાને સંસદ સત્રમાં સામેલ થવાની મંજૂરી મળે





નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર પહેલા પાર્લિયામેન્ટની લાઈબ્રેરી બિલ્ડીંગમાં થયેલી સર્વ પક્ષીય બેઠકમાં તમામ પક્ષના પ્રતિનિધિઓએ સત્ર દરમિયાન ચર્ચામાં આવાનારા મહત્વના મુદ્દાને લઈને પોતાનો મત રજૂ કર્યો હતો. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત વિપક્ષમાંથી ગુલામ નબી આઝાદ, અધીર રંજન, ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન, બસપાના સતીશ ચંદ્ર મિશ્રા, ચિરાગ પાસવાન, તથા આપના સંજય સિંહ હાજર રહ્યા હતા.



આ બેઠક દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરંસના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલાને સંસદ સત્રમાં હાજર રહેવા માટેની ભલામણ કરી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે ફારુક અબ્દુલાને સંસદના સત્રમાં હાજર રહેવા દેવાની માગ કરી છે. જેના પર સંસદીય કાર્યમંત્રીએ કહ્યું હતું કે, ફારુક અબ્દુલા પર કોર્ટ નિર્ણય લેશે, સરકાર નહીં. 



ગુલામ નબી આઝાદે આગળ કહ્યું હતું કે, અમે ત્રીજો મુદ્દો એ પણ રાખ્યો છે કે, ફારુક અબ્દુલા સાહેબને સાડા ત્રણ મહિનાથી કેમ બંધ રાખવામાં આવ્યા છે. અમે માગ કરી છે કે,આ સત્રમાં ફારુક અબ્દુલાને સત્રમાં હાજર રહેવાની મંજૂરી મળે. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.