ETV Bharat / bharat

આજે ભારતીય વાયુસેનામાં સામેલ થશે રાફેલ, ફ્રાન્સના રક્ષા પ્રધાન પણ કાર્યક્રમમાં રહેશે હાજર

author img

By

Published : Sep 9, 2020, 7:19 AM IST

ફ્રાન્સમાં નિર્મિત પાંચ રાફેલ લડાકૂ જેટ વિમાનોની ભારતીય વાયુસેનામાં સામેલ કરવાની ઔપચારિક્તાઓ આજે (બુધવારે) પુરી કરવામાં આવશે. જે માટે અંબાલા એરબેઝ પર આયોજિત ઔપચારિક સમારોહમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહની સાથે ફ્રાન્સના રક્ષા પ્રધાન ફ્લોરેન્સ પાર્લે અને ભારતના શીર્ષ સૈન્ય અધિકારી પણ હાજર રહશે.

રાફેલ
રાફેલ

નવી દિલ્હીઃ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે, સમારોહમાં ભાગ લેવા માટે ફ્રાન્સની મહિલા રક્ષા પ્રધાન બુધવારે સવારે જ ભારત પહોંચશે અને બપોર બાદ પરત પોતાના દેશ ફરશે. આ સમારોહ બાદ સિંહ અને પાર્લ અંબાલામાં જ દ્વિપક્ષીય વાર્તા કરશે, જેનો હેતુ બંને દેશો વચ્ચેની રક્ષા તેમજ સુરક્ષા સહયોગને વધુ મજબુત બનાવવાનો છે.

આ સમારોહ સાથે જ વાયુસેનામાં છેલ્લા 23 વર્ષ દરમિયાન પહેલી વાર નવા વિમાન સામેલ થશે. છેલ્લે 1997 માં રશિયાના સુખોઇ જેટ વિમાનોની ખરીદી કરવામાં આવી હતી. પાંચ રાફેલ જેટ વિમાનોની પહેલી બેચ આ વર્ષે 29 જુલાઇએ ભારત પહોંચી હતી. પહેલા બેચનું આગમન 2016 માં ભારત તરફથી 59 હજાર કરોડ રુપિયામાં 36 વિમાનોની ખરીદીનું અંતર સરકારી ભાગીદારી ફ્રાન્સની સરકારની સાથે કરવાના લગભગ ચાર વર્ષ બાદ થયું છે. આ 36 વિમાનોમાંથી 30 લડાકૂ ક્ષમતાવાળા છે, જ્યારે 6 બે સીટવાળા ટ્રેનિંગ વિમાન છે.

જોકે, જરૂર પડ્યે આ ટ્રેનિંગ વિમાનોને પણ યુદ્ધના મેદાનમાં ઉતારવા માટે દરેક ક્ષમતાથી નિર્મિત કરવામાં આવ્યા છે. ફ્રાન્સની એરોસ્પેસ કંપની દસૉલ્ટ એવિએશન દ્વારા નિર્મિત રાફેલ વિમાનને ભારતીય વાયુસેનાના બેડામાં સામેલ કરવાની ઔપચારિક્તાઓ હજૂ પૂર્ણ થઇ નથી. કંપનીએ ભારતીય વાયુસેનાના પહેલા બેચમાં 10 રાફેલ વિમાનોની ડિલીવરી કરી હતી, જેમાંથી 5 ભારતીય પાયલટોની ટ્રેનિંગ માટે હાલ ફ્રાન્સમાં જ રાખવામાં આવ્યા છે. રાફેલ વિમાનોના પહેલા સ્ક્વોડ્રનને અંબાલા એરબેઝ પર જ્યારે બીજા સ્ક્વોડ્રનને પશ્ચિમી બંગાળના હાસિમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.