ETV Bharat / bharat

jk: સેના-આતંકી વચ્ચે અથડામણ, હિઝબુલનો કમાન્ડર આઝાદ લલહારી ઠાર, 1 જવાન ઘાયલ

author img

By

Published : Aug 12, 2020, 11:16 AM IST

Updated : Aug 12, 2020, 10:07 PM IST

જમ્મુ કાશ્મીર: પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આંતકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સેનાએ હિઝબુલના કમાન્ડર આઝાદ લલહારીને ઠાર માર્યો છે. સેનાનો 1 જવાન ઘાયલ થયો છે.

jammu kashmir
jammu kashmir

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક જવાન ઘાયલ થયો છે. સેનાએ હિઝબુલના કમાન્ડર આઝાદ લલહારીને ઠાર માર્યો છે.

સેનાએ હિઝબુલના કમાન્ડર આઝાદ લલહારી ઠાર માર્યો
સેનાએ હિઝબુલના કમાન્ડર આઝાદ લલહારી ઠાર માર્યો

આ અંગે અધિકારીએ જણાવ્યુ કે, સુરક્ષાબળોને પુલવામાના કામરાજીપોરા ગામમાં એક બાગમાં આતંકવાદી હોવાની બાતમી મળી હતી, ત્યાર બાદ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કર્યુ અને સેનાએ પણ વળતો જવાબ આપતા હિઝબુલના કમાન્ડર આઝાદ લલહારીને ઠાર માર્યો હતો. આ અથડામણમાં એક જવાન પણ ઘાયલ થયો છે.

પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, રિયાઝ નાઈકુ બાદ આઝાદ લલહારી હિઝબુલનો કમાન્ડર બન્યો હતો. જેને ભારતીય સેનાએ ઠાર માર્યો છે.

Last Updated :Aug 12, 2020, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.