ETV Bharat / bharat

રાજધાની દિલ્હીમાં કોવિડ રેલવે કોચ કાર્યરત થયાં, 10 દર્દીની થઈ સારવાર

author img

By

Published : Jun 27, 2020, 3:43 PM IST

રાજધાનીના શકુરબસ્તીમાં રાખેલા કોવિડ રેલવે કોચ કાર્યરત થઈ ગયા છે. આહીં રેલવે અને દિલ્હી સરકાર સાથે મળી કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને સારવારની સાથે તમામ જરૂરી સુવિધાઓ આપી આવી રહી છે. હાલમાં આ કોચમાં 8 દર્દી દાખલ કરાયા છે, જ્યારે 2 દર્દીને રજા મળતા ઘરે પરત ફર્યા છે.

eight-corona-patients-are-treating-covid-coaches-at-shakurbasti-in-delhi
રાજધાની દિલ્હીમાં કોવિડ રેલવે કોચ કાર્યરત થયાં, 10 દર્દીની થઈ સારવાર

નવી દિલ્હી: રાજધાનીના શકુરબસ્તીમાં રાખેલા કોવિડ રેલવે કોચ કાર્યરત થઈ ગયા છે. આહીં રેલવે અને દિલ્હી સરકાર સાથે મળી કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને સારવારની સાથે તમામ જરૂરી સુવિધાઓ આપી આવી રહી છે. હાલમાં આ કોચમાં 8 દર્દી દાખલ કરાયા છે, જ્યારે 2 દર્દીને રજા મળતા ઘરે પરત ફર્યા છે.

ઇટીવી ભારત સાથે વાતચીત કરતાં ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે કહ્યું કે, શુક્રવારે અહીંથી 1 દર્દીને ઘરે પરત મોકલવામાં આવ્યો હતો. અત્યારે કુલ 8 દર્દી અહીં સારવાર લઈ રહ્યાં છે. રેલવે આ દર્દીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરી રહ્યું છે, જ્યારે સેનાનો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અહીં કામ કરી રહ્યો છે.

રાજધાની દિલ્હીમાં કોવિડ રેલવે કોચ કાર્યરત થયાં, 10 દર્દીની થઈ સારવાર

દીપક કુમારે કહ્યું કે, અત્યાર સુધીમાં કુલ 2 લોકોને અહીંથી રજા આપી ઘરે મોકલવામાં આવ્યાં છે. અહીં 1 દર્દીને શ્વાસ લેવાની તકલીફ બાદ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. અહીંથી એક મહિલા દર્દી પણ પરત આવી ગઈ છે.

નોંધનીય છે કે, દિલ્હીમાં ભારતીય રેલવેએ કોવિડ કોચની કુલ 9 સ્થળોએ વ્યવસ્થા કરી છે. જેમાં આનંદ વિહારમાં સૌથી વધુ 267 કોચ છે. દિલ્હી સરકાર જરૂરિયાત મુજબ તમામ જગ્યાઓનો ઉપયોગ કરી શકે છે. જો કે, હાલ માત્ર શકુરબસ્તીમાં ઉભા રહેલા કોચનો ઉપયોગ દર્દીઓ માટે થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.