ETV Bharat / bharat

રામ મંદિર બને તે દરેકની ઈચ્છા, ટ્રસ્ટમાં શંકરાચાર્યને પણ સ્થાન મળવું જોઈએ: દિગ્વિજય

author img

By

Published : Jul 20, 2020, 6:31 PM IST

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, દરેકની ઇચ્છા છે કે ભવ્ય રામ મંદિર બને. જોકે, તેમણે કેન્દ્ર સરકાર પર પણ ટિપ્પણી કરી હતી. દિગ્વિજયે કહ્યું, 'ટ્રસ્ટમાં શંકરાચાર્યને સ્થાન નથી મળ્યું, તેના બદલે વિહિપ અને ભાજપના નેતાઓને તેના સભ્ય બનાવવામાં આવ્યા છે, જેનો અમને વાંધો છે.'

દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહ

ભોપાલ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે કહ્યું કે, દરેકની ઇચ્છા છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જોઈ. જો પીએમ નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે મંદિરનો શિલાન્યાસ કરે છે, તો રામાનંદી સંપ્રદાયના તમામ શંકરાચાર્યો અને સ્વામી રામનરેશ્ચાર્યને સમારોહમાં આમંત્રણ આપવું જોઈએ.

દિગ્વિજયે જણાવ્યું કે, તમામ શંકરાચાર્ય અને રામાનંદી સંપ્રદાયના સ્વામી રામનરેશ્ચાર્યને પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય બનાવવા જોઈએ.તેમણે કહ્યું, 'ટ્રસ્ટે શંકરાચાર્યને સ્થાન આપ્યું ન હતું, તેના બદલે વિહિપ અને ભાજપના નેતાઓને તેના સભ્ય બનાવવામાં આવ્યા છે. જેથી અમને વાંધો છે, અમે તેનો વિરોધ કરીશું.

શનિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ વડા પ્રધાન મોદીને મંદિરની ભૂમિની પૂજા માટે બે તારીખ મોકલી હતી. આ પછી વડા પ્રધાન કાર્યાલયે 5 ઓગસ્ટે ભૂમિપૂજન માટે કહ્યું છે. વડા પ્રધાન મોદી દ્વારા મંદિરની ભૂમિપૂજામાં સામેલ થવાના સમાચારોથી રાજકારણ શરૂ થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.