રાજસ્થાન: ધારાસભ્યોને નોટિસ મળ્યા બાદ આજે ભાજપના મુખ્યાલયમાં સતીષ પૂનિયાની ઉપસ્થિતિમાં અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી નેતા ગુલાબચંદ કટારિયા, ઉપનેતા રાજેન્દ્ર રાઠોડ, પૂર્વ વિધાનસભાના ઉપઅધ્યક્ષ રાવ રાજેન્દ્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અરૂણ ચતુર્વેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વિધાનસભાના નિયમોને લગતા પુસ્તકો પણ મંગાવવામાં આવ્યા હતા, જે પછી સતિશ પૂનીયાએ મીડિયામાં આ નિવેદન આપ્યું હતું.
સતીશ પૂનિયાના જણાવ્યા મુજબ, કોઈ રિસોર્ટ અને હોટલમાં કોંગ્રેસની બેઠક થઈ હોય અને તે આધારે વિધાનસભાના અધ્યક્ષ કોઈ પણ ધારાસભ્યને આવી નોટિસ ફટકારે, તે કોઈ આધાર નથી કે, તે નિયમોમાં નથી, પરંતુ હજી પણ મિલીભગત સરકાર દ્વારા, પાઇલટ કેમ્પના 19 ધારાસભ્યોની સદસ્યતા નાબૂદ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આના કાયદાકીય પાસાઓને જાણીને, બીજો પક્ષ નિશ્ચિતપણે કોર્ટમાં અપીલ કરી શકે છે. પૂનિયાએ કહ્યું કે, આ પહેલા પણ એસઓજી દ્વારા નાયબ મુખ્યપ્રધાન અને કેટલાક મંત્રીઓને નોટિસ મોકલવામાં આવી હતી.
પૂનિયાને કહ્યું કે, આ ઘટનાક્રમમાં એસેમ્બલીના અધ્યક્ષ ડો.સી.પી.જોશીની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાવા લાગી છે અને લાગે છે કે આ લડત લાંબા સમય સુધી ચાલશે, જેમાં વિપક્ષ પણ તેની હકારાત્મક ભૂમિકા ભજવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં ગેહલોત સરકારને 100 ધારાસભ્યોનો ટેકો પણ નથી. આવી સ્થિતિમાં જયારે, સરકાર લઘુમતીમાં છે ત્યારે નોટિસ ફટકારીને લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે.