ETV Bharat / bharat

કોરોના મહામારી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 400થી વધુના મોત, 18 હજારથી વધુ લોકો સંક્રમિત

author img

By

Published : Jun 30, 2020, 10:49 AM IST

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસ (કોવિડ -19) ને કારણે છેલ્લા કલાકમાં 400 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે દેશભરમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 16,900 ને વટાવી ગયો છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 19 હજાર જેટલા નવા ઇન્ફેક્શનના કેસ પણ નોંધાયા છે.

COVID-19
કોરોના મહામારી

તાજેતરના આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના વાઇરસના 2.15 લાખથી વધુ કેસ એક્ટીવ છે, જ્યારે 3.35 લાખથી વધુ લોકો સારવાર બાદ સાજા થયા છે.

દેશમાં કોરોના દર્દીઓની રિકવરીના દરમાં ઘણો સુધારો થયો છે. છેલ્લા આંકડા મુજબ રિકવરી દર 58.67 ટકા છે જ્યારે મૃત્યુ દર 3.01 ટકા છે.

સૌથી વધું કોરોનાથી સંક્રમિત ટોચના પાંચ રાજ્યો

સ્વાસ્થય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ રાજ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં 1,64,626 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારબાદ દિલ્હી (83,077), તામિલનાડુ (82,275), ગુજરાત (31,320) અને ઉત્તર પ્રદેશ (22,147) છે.

કોરોના સંક્રમણથી સૌથી વધું મહારાષ્ટ્રમાં 7,429 લોકો મૃત્યુ પામ્યા છે. તે પછી દિલ્હી (2,623), ગુજરાત (1,808), તામિલનાડુ (1,079) અને ઉત્તર પ્રદેશ (660) લોકો મૃત્યુ પામ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.