ETV Bharat / bharat

કોરોના ઈફેક્ટ: વડાપ્રધાન મોદીની બેલ્જીયમ યાત્રા રદ

author img

By

Published : Mar 5, 2020, 7:00 PM IST

વડાપ્રધાન મોદીની બેલ્જીયમ યાત્રા કોરોના વાઇરસને કારણ રદ્દ
વડાપ્રધાન મોદીની બેલ્જીયમ યાત્રા કોરોના વાઇરસને કારણ રદ્દ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ભારત-યૂરોપીય સંઘ શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી ભાગ લેવાના હતા. જોકે બન્ને દેશોના સ્વાસ્થ્ય અધિકારીઓએ સૂચન કર્યું છે કે, કોરોના વાયરસના હાલની વૈશ્વિક અસરને કારણે વડાપ્રધાન મોદીએ બેલ્જીયમની યાત્રા કરવી જોઇએ નહીં.

નવી દિલ્હી: કોરાના વાયરસની વૈશ્વિક અસરને ધ્યાનમાં લઈને ભારત-યૂરોપિયન યૂનિયન શિખર સમ્મેલનમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. આ સાથે જ વડાપ્રધાન મોદીની બેલ્જીયમ યાત્રાની તારીખ હવે નવેસરથી નક્કી કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયે આ વિશે કહ્યું કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભારત EU શિખર સમ્મેલનના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગાઉ આ સમ્મેલન આ મહિનામાં યોજાવાનું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રૈાખીને સ્વાસ્થ્ય અધિકારીઓએ વડાપ્રધાન મોદીની આ યાત્રા રદ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.