ETV Bharat / bharat

યુપીના CM યોગી આદિત્યનાથે દશેરા નિમિત્તે કર્યું કન્યા પૂજન

author img

By

Published : Oct 25, 2020, 12:20 PM IST

Updated : Oct 25, 2020, 12:41 PM IST

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધઆન યોગી આદિત્યનાથે રવિવારે ગોરખનાથ મંદિરમાં કન્યાઓની પૂજા કરી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાન યોગીએ કન્યાઓના પગ ધોઈ તિલક કર્યું હતુ.તમામ કન્યાઓને ભોજન પણ કરાવ્યું હતું.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ

  • મુખ્યપ્રધઆન યોગી આદિત્યનાથે કન્યા પૂજન કર્યું
  • વિજયાદશમી નિમિત્તે કન્યા પૂજન

લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધઆન યોગી આદિત્યનાથે રવિવારે ગોરખનાથ મંદિરમાં કન્યાઓની પૂજા કરી હતી. કોવિડ -19 જોગવાઈઓ હેઠળ કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સામાજિક અંતરનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા કન્યા પૂજન

કન્યા પૂજન બાદ મુખ્ય પ્રધાન યોગીએ મીડિયા સમક્ષ સમગ્ર રાજ્યને વિજયદશમીની શુભેચ્છા પાઠવી હતી.મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે વિજયાદશમીનો તહેવાર સત્ય, ન્યાય અને ધર્મની જીતનું પ્રતિક છે. મુખ્યપ્રધાને કહ્યું કે, વિજયાદશમીની વિજય હંમેશા એવા લોકોને પ્રેરણા આપે છે જે સત્યના માર્ગ પર ચાલે છે અને ન્યાયનું માર્ગદર્શન આપે છે.

  • मंत्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम्
    नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम्।।जगत्पूज्ये जगद्वन्द्ये सर्वशक्तिस्वरुपिणि।
    पूजां गृहाण कौमारि जगन्मातर्नमोस्तु ते।।

    नवरात्रि के शुभ अवसर पर आज विधि-विधान से कन्या-पूजन का पुनीत कार्य संपन्न हुआ।

    कन्या देवियों को नमन! pic.twitter.com/bwvP2FKOAH

    — Yogi Adityanath (@myogiadityanath) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે રામરાજ્યમાં જ્ઞાતિ, અભિપ્રાય અને ધર્મનું કોઈ સ્થાન નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ દરેકનો વિકાસ છે. તેમણે કહ્યું કે, ઉત્સવ જીવનમાં સુખ, સમૃદ્ધિ લાવે છે પરંતુ ઉત્સાહમાં જોશ ગુમાવવાની જરૂર નથી. કોરોનાથી બચવા માટે માસ્ક જરુરી છે.

Last Updated : Oct 25, 2020, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.